Monday, June 17, 2013

A kind of Migraine in a 12 year old Boy…

 

SA9486PKP

Here is an interesting case:

The 12 year old studying at a day school, had complaint headache for more than one year. He was diagnosed to have Migraine by a Neuro-physician.

The typical complaints were of pain in both the sides of head and top and back of his head. The pain increased with motion of head but is sat still or in a quiet room his pains would reduce. The use of laptop or watching of television for one to two hours will cause severe pain. The pain became worse from noise and cold room, even at night. He has diminished appetite but craved sweets, cream biscuits. He also complained of hair fall.

He is a shy boy, does not play much outdoors. The mother reported a unique observation: “His father is serving abroad. I and my son live here. I am a working mother, and have to reach office by 10 am. He put the alarm for waking on time. But, he sets same alarm in multiple devices for example, landline, cellphone, alarm clock etc. I always tell to set in any one device but he says ‘the backup is needed, what if one device does not work?’ This I am not able to understand. With the first sound of alarm he wakes up as hurriedly and stops all the devices. Mostly he is very irritated in the morning.”

This boy was treated with all kinds of medicines like home remedies, pain killers and drugs prescribed by Neuro-physician, without any benefit.

The homoeopathic medicines provided prompt relief and made life more enjoyable. The treatment lasted for less than two months. Today after more than nine months, he remains healthy, has gained weight.

The remarkable point: he uses only alarm clock and is composed when wakes up.

The true healing recovers the patient not only from the main complaints, but makes him healthy.

Tuesday, October 9, 2012

Chronic Vomiting in a Young girl, agony of parents…

This was a peculiar case, in which the patient is brought for homoeopathic treatment after trying conventional treatment for long.

The history of the case was as below:

The patient was a 9 years and 4 month old girl, the only child of her parents. she was fine for first five years of her life. There after she started having complaints of vomiting. Initially the parents thought: ‘she must have over eaten…’, ‘she must have exerted immediately after eating…’ and other such common reasons were attributed. After initial few months of the complaint they started worrying, and took her to a general practitioner. Some medicines were given to stop vomiting but to no benefit to patient.

The complaints worsened. She now experienced very bad pain in head along with vomiting. The headaches now persisted for more than 2 to 3 days and during which the girl used to vomit every thing, liquid and solid, whatever taken orally. The headaches were experienced every 2 to 3 months in the beginning, which became more frequent.

She was taken to pediatricians and later on to neurologists. Their treatment helped her to control the pains, initially, but later the frequency increased.

The treating doctors advised strict diet control. No out side food, no fast food, no acidic food not even acidic fruits, only freshly cooked home food comprising of rice, chapati (indian bread) and boiled or sparely spiced vegetables. This too did not prevented the recurrence of pain.

The girl started experiencing weakness with headaches as the vomiting would drain her out and no solid or liquid intake was possible for 2-3 days during the episodes of pain. after a while, it became a ritual for the parents and her physician. As soon as the child would complaint about the pain in head, parents used to rush her to the hospital. She would be admitted and administered intravenous fluid and painkillers, for 2-3 days. Once the episode is over, she would be fine for a period of couple of months, some time a month more. This continued for three more years.

She was brought for homoeopathic treatment after she suffered for four years.

After the detailed consultation she was given a  homoeopathic medicine.

Shocked to see only one medicine, the mother anxiously asked: “are you sure this medicine would help her for her headaches, vomiting, weakness…everything? Don’t you think she needs more?”

She was reassured by explaining the advantage of homoeopathic system of medicine, that only ONE medicine would cover all the complaints and would benefit the patient. There is no need to drug for each symptom.

As expected, the child recovered very well. To the amazement of parents the response was too quick. The child started eating everything cooked at home, without developing any discomfort. She became more energetic and active. She put on 2.5 kg weight within 2 months of treatment.

The child was given medicines for three months only. She is under constant observation. She has not experienced any headaches or vomiting, since her treatment.

She continues to enjoy good health…

Tuesday, April 10, 2012

Happy Birthday, Sam!!!

Today, 10th April, is the birthday of founder of homoeopathy. Every homeopath, feels indebted for the knowledge he has given to treat the "sick". Here I am presenting, in very brief, glimpses about the man who single handedly changed the science of therapeutics. It is in vernacular language Gujarati.


જે બીમારીની સારવાર એકવાર થઇ હોય તે છતાં એ જ બીમારી વારંવાર કેમ થાય?
કોઈ દર્દી આજે એક શારીરિક ફરિયાદ લઈને આવે તેની સારવાર દરમ્યાન એ તકલીફ ઓછી થાય અને બીજી તકલીફ ઉભી થાય, તાજી ઉભી થયેલી તકલીફને સાચવવા જતા ફરી પછી પહેલી ફરિયાદ ઉભરી આવે, આમ કેમ?
સામાન્ય સંજોગોમાં સ્વસ્થ દેખાતી વ્યક્તિ થોડો જ માનસિક કે શારીરિક શ્રમ પડતા અચાનક બીમાર કેમ થાય છે?
શારીરિક અશક્તિ અને નીરૂત્સાહની ફરિયાદ કરતા દર્દીની વિસ્તૃત તપાસ કરતા, તેમના બધા જ અવયવો, એમનો પૌષ્ટિક ખોરાક, સરળ જીવન અને સ્વચ્છ વાતાવરણ હોવા છતાં બીમારીનું કારણ કેમ નથી સમજાતું? એમને પોષણ આપે તેવા ચટણો અને ઔષધો ફાયદો કેમ નથી કરતા?
વિષાણું જન્ય રોગોના વાવર વખતે ખુબ અસરકારક સારવાર ઉપલબ્ધ ન હોવાને કારણે એટલા બધા લોકો પોતાનો જીવ ગુમાવે, એવું કેમ બને છે?
જુના અને હઠીલા રોગો માતે અકસીર સારવાર કેમ ઉપલબ્ધ નથી?
એક વાર બીમારી થાય એટલે એની ચોક્કસ સમયની સારવાર બાદ દર્દી પોતાનું સ્વાસ્થ્ય પાછું મેળવી કેમ નથી શકતો?
કેમ એને જીવન પર્યંત દવાઓનો ઉપયોગ અને આશરો લેવો પડે છે? 
દર્દીને જીવન જીવવા જેવું ન લાગતાં, જીવતેજીવ દોજ્ખની પીડા કેમ સહેવી પડે છે?

પ્રશ્નો, પ્રશ્નો અને વધુ પ્રશ્નો..., બસ પ્રશ્નો જ ઘુમરાયા કરતા હતા એક પ્રતિભાશાળી યુવાન તબીબના મનમાં. કેવી મુશ્કેલીઓ સામનો કરીને એ યુવાને તબીબી પદવી મેળવી હતી?
એના દાદા એક ચિત્રકાર, વર્ષો પહેલા ત્યારે નવા શોધાયેલા   પોર્સેલીનઉપર ચિત્રકારીમાં એમને નામના મેળવી. એમનો વરસો આગળ વધારતા આ યુવાનના પિતાએ એ ચિત્રશૈલી માં નિપુણતા મેળવી. પ્રમાણિકતા અને સખ્ત પરિશ્રમના ગુણો ધરાવતા પરિવારમાં ૧૦ એપ્રિલ ૧૭૫૫ ની મધરાતે તબીબી દુનિયામાં વિશિષ્ઠ સારવાર પદ્ધતિના પ્રણેતાનો જન્મ થયો. એને નામ અપાયું સેમ્યુઅલ.
આર્થિક સંકડામણ અનુભવતા પરિવારમાં ઉચ્ચ વિચારો, ઉચ્ચતમ આદર્શો અને સરળ જીવનશૈલીથી સેમ્યુઅલ નો ઉછેર થવા લાગ્યો. બાળપણમાં પિતા પોતાના કામે જાય ત્યારે બાળક સેમ્યુઅલને એક પ્રશ્ન સાથે નાનકડી ઓરડીમાં બંધ કરીને જાય. પ્રશ્ન માનવજીવન, આકાશ, પૃથ્વી, પાણી, સજીવ, નિર્જીવ, કોઇપણ બાબતનો હોય. સેમ્યુઅલને ઓરડીમાંથી બહાર ત્યારેજ નીકળવા  મળે  જયારે એ પોતાની સમજ પ્રમાણેનો, પણ વૈજ્ઞાનિક અને મૌલિક ઉત્તર આપે. આમ બાળપણથી શિસ્ત અને સંસ્કાર પામેલ સેમ્યુઅલે અભ્યાસક્રમ  ઉપરાંતનાવિવિધ વિષયો ઉપર ચિંતન, મનન, કરવાની ટેવ વિકસાવેલી. ઉચ્ચતમ કારકિર્દી દરમ્યાન એમને પોતાની માતૃભાષા જર્મન ઉપરાંત અન્ય જેવીકે  લેટિન,ગ્રીક, ફ્રેંચ, ઇટાલિયન, ઈંગ્લીશ અને અરેબિક ભાષાઓ પર સંપૂર્ણ કાબુ મેળવેલો. પોતાનું વતન છોડીને ઉચ્ચ અભ્યાસ માટે બીજા પ્રદેશમાં એ જયારે ગયા ત્યારે આ જ ભાષાઓ બીજાને શીખવવા બદલ મળેલી ફી ઉપરજ પોતાનો અભ્યાસ અને જીવન આગળ ધપાવ્યું. તબીબીશાસ્ત્ર તરફના લગાવને ખાતર અનેકવિધ તકલીફો વેઠવા છતાં એનો સફળ અભ્યાસ કરીને ૧૭૭૯માં એમ. ડી. ની પદવી પ્રાપ્ત કરી.
બાળપણથી સેવેલા સ્વપ્નને સાકાર કરીને આલ્પ્સ પર્વત પાસેની ખીણને અડીને વસેલા શહેરમાં પોતાની તબીબી સેવાઓ આપવાનું શરૂ કર્યું. શરૂઆતમાં બધું ઠીક ચાલ્યું, પછી અભ્યાસ જીવન દરમ્યાન શીખેલી સારવાર પદ્ધતિઓ અને નિષ્ણાતો દ્વારા અપનાવતી ખાસ વિકસાવેલી હથોટીઓ અજમાવતા જેમ જેમ સમય જતો ગયો તેમતેમ એના એ જ દર્દીઓ એ જ ફરિયાદ લઈને પાછા આવવા લાગ્યા. ક્યરેક કોઈને સારું થતું અને પછી જે તકલીફની સારવાર કરી હોય તે ઠીક થતી અને થોડા સમયમાં ફરીથી એજ અથવા બીજી કોઈ તકલીફ સાથે એ દર્દીઓ સારવાર માટે પાછા  આવતા. ધંધાની દ્રષ્ટિએ આ ખુબ સારી ઘટના હતી, પણ તબીબીશાસ્ત્રએ ધંધો નથી, એ તો સેવાનું ઉત્કૃષ્ટ માધ્યમ છે. બીમારીમાં ગુમાવેલું સ્વાસ્થ્ય પાછું મળે તો જ એ સાચી સારવાર અને તબીબ મે તે જ એક માત્ર ધ્યેય હોઈ શકે એમ માનનાર સેમ્યુઅલ માટે આ અનુભવો પોતાના બાળપણના સ્વપ્નાં ચકનાચૂર  કરનાર નીવડ્યા. ત્યારે પ્રચલિત સારવાર પદ્ધતિ ઉપર શ્રેષ્ઠ કાબુ ધરાવનાર અને એ વખતના ધોરણો પ્રમાણે સફળ સારવાર કરવાને સક્ષમ પણ મનથી અતિ સંવેદનશીલ અને પોતાના આદર્શોમાં સ્પષ્ટ એવા આ તબીબનું મન આવી સારવાર પદ્ધતિ પરથી ઉઠી ગયું અને અગિયાર વર્ષથી ચાલતી પોતાની તબીબી પ્રેક્ટીસ બંધ કરી દીધી. વિકસતા જતા પરિવારનું ગુજરાન અને વધતી સામાજિક જવાબદારી નીભ્વવા મારે આર્થિક ઉપાર્જન પણ એટલું જ આવશ્યક બનતું ગયું. ત્યારે એની મદદે આવ્યું બાળપણમાં મેળવેલું જુદી જુદી ભાષાઓનું જ્ઞાન, અભ્યાસ દરમ્યાન વિવિધ વિષયો પર મેળવેલું પ્રભુત્વ અને બાળપણથી વિકસેલી મૌલિક પ્રતિભા. જીવન નિર્વાહ મારે એમણે  જુદાજુદા વિષયોના પુસ્તકોનું જર્મન અને અન્ય ભાષાઓમાં ભાષાંતર કરવાનું શરુ કર્યું. એ ઉપરાંત રસાયણશાસ્ત્રના પ્રયોગો અને એનું ભાષ્ય લખવાનું ફ આદર્યું. આ કાર્યમાં એ ખુબ એ ખંતથી ઊંડા ઉતરી ગયા. પાંચ વર્ષના સમયગાળામાં એમણે આશરે પાંચ હજાર પાનાનું લેખન અને પ્રયોગો પ્રસિદ્ધ કર્યા.
ઈસવી સન ૧૭૯૦ દરમ્યાન વૈદકશાસ્ત્ર ઉપર વિલિયમ કુલેન દ્વારા લિખિત ગ્રંથના ભાષાંતર દરમિયાન એક વિરલ ઘટના બની. સીન્કોના નામના ઝાડ વિશેના લેખમાં લેખકે એક નોંધ ટપકાવેલી. એ નોંધ ઉપર આ મૌલિક ભાષાંતરકારનું મન ચકરાવે ચઢ્યું. એ નોંધ કંઇક આમ હતી: ‘સીન્કોનાના ઝાડની છાલના રસમાં એવું સત્વ છુપાયેલું છે કે તેનું સેવન કરવાથી તંદુરસ્ત વ્યક્તિને એકાન્તરીયા તાવના લક્ષણો અનુભવાય છે. રસપ્રદ બાબત એ છે કે આ રસ આ પ્રકારના તાવ ના ઉપચાર માટે પણ અકસીર ગણાય છે.’ આ નોંધની સત્યતાની ચકાસણી કરવાનું આ વૈજ્ઞાનિક મગજના તબીબે નક્કી કર્યું. પ્રયોગ શરુ કર્યાના થોડા દિવસોમાંજ એમણેએકન્તારીયાતાવનો અનુભવ થયો. જેવો એમણે રસ પીવો બંધ કર્યો એટલે એના ચિહ્નો પણ બંધ.
આ નોંધના મૂળ લેખકે આ ઘટનાનો અછડતો ઉલ્લેખ માત્ર કર્યો પણ પ્રતિભાશાળી સેમ્યુઅલે આ ઘટના દ્વારા એક કુદરતી નિયમની શોધ કરી : “જે વસ્તુ/પદાર્થ  તંદુરસ્ત વ્યક્તિના શરીરમાં ચિહ્નો પેદા કરી શકે તે વસ્તુ તે જ પ્રકારના ચિહ્નો ધરાવતી બીમાર વ્યક્તિને સાજી કરી શકે.” અને આમ જન્મ થયો માનવજાત માટે અતીક્રાંતિકારી એવી ચિકિત્સા પદ્ધતિનો જેના પાયામાં રહેલા સિદ્ધાંતોમાંનો એક મૂળભૂત સિદ્ધાંત છે, પદાર્થની તંદુરસ્ત વ્યક્તિના શરીરમાં ફેરફાર પેદા કરવાની શક્તિ અને તે પ્રકારના ફેરફાર ધરાવતા દર્દીને સ્વસ્થતા આપવાની શક્તિની સામ્યતા એટલે “સામ્ય ચિકિત્સા” હોમિયોપથી.
આ ચિકિત્સા પદ્ધતિ માં વ્યક્તિની બીમારીદરમ્યાન અનુભવતી તકલીફો, ઉપરાંત એની માનસિકતા અને શારીરિક બંધારણને ધ્યાનમાં લઈને પસંદગીની માત્ર એક અને એક એવી ઔષધી આપવી આવશ્યક હોય જે ઔષધી કુદરતી રૂપમાં લેવાથી તંદુરસ્ત વ્યક્તિના શરીરમાં એવાંજ ચિહ્નો પેદા કરી શકે. આમ વ્યક્તિલક્ષી અને સારવારલક્ષી સામ્યતા એ આ પદ્ધતિની વિલક્ષણતા બની.
પદ્ધતિસરના સંખ્યાબંધ પ્રયોગો દ્વારા સામ્યચિકિત્સાના સિદ્ધાંતની ચકાસણી કર્યા બાદ ૧૭૯૬ થી એ ચિકિત્સા પદ્ધતિને  દર્દીઓની સારવાર માટે ઉપયોગ માં લેવાની શરૂઆત કરી. નવી પદ્ધિતી થી થતી સારવાર દરમ્યાન તીક્ષ્ણ નિરીક્ષણોના પરિણામે તેમણે એવું તારણ પણ તારવ્યું કે જયારે દર્દીને દવાઓ કુદરતી રૂપમાં અને થોડા જથ્થામાં અપાય છે ત્યારે દવાઓ દ્વારા દર્દીઓ વણજોઈતા ચિહ્નો અનુભવે છે. જેના મનમાં સતત દર્દીનું હિત અને એને ઝડપથી સ્વસ્થ બનાવવાની તત્પરતા હતી એવા આ માનવીય અભિગમ ધરાવતા વૈજ્ઞાનિક તબીબે અથાક પ્રયત્નો બાદ આનો તોડ પણ શોધી કાઢ્યો. દવાઓ એના કુદરતીરૂપમાં અને જથ્થામાં ન આપતાં, તેની ઉપર એક ચોક્કસ પ્રયોગથી એને વધુ સારવારલક્ષી અને સક્ષમ બનાવવાની પદ્ધતિ વિકસાવી, જેનું નામ આપ્યું “ડાયનામાઈઝેશન “ (ઔષધીય પદાર્થનું જૈવિકરણ). આ ડાયનામાઈઝેશનની પ્રક્રિયા એ હોમિયોપેથિક્ સારવારની બીજી વિલક્ષણતા છે.  આ પ્રક્રિયાનો સહુથી મોટો ફાયદો એ છે કે સુક્ષ્મ પ્રમાણની દવાઓ દ્વારા ગંભીરમાં ગંભીર બીમારીની અસરકારકતાથી અને ઔષધીય પદાર્થની કોઇપણ પ્રકારની આડઅસર વિના સફળ અને સચોટ સારવાર કરી શકાય છે.

જુદા જુદા પદાર્થોની માનવ શરીર ઉપર અસરો બીજા શબ્દોમાં જે તે પદાર્થની માનવ શરીરમાં રોગ ઉત્પન્ન સરી શકવાની ક્ષમતાની ચકાસણી કરવા માટે તેઓ પોતાના જીવન દરમ્યાન સૌથી વધુ પદાર્થોના પોતાની જાત ઉપર પરીક્ષણો કર્યા. આ પરીક્ષણો દરમ્યાન અનુભવાતા લક્ષણોને ખુબ જ ઝીણવટપૂર્વક નોંધ્યાં અને આવાજ પરીક્ષણોની ચકાસણી એમણે પોતાના પરિવારના સભ્યો, સાથી તબીબ મિત્રો અને સ્વયંસેવકોની મદદથી દરેક ઉંમર, સ્ત્રી, પુરુષ બન્ને જાતિ, વિવિધ માનસિકતા ધરાવતી વ્યક્તિઓ ઉપર પણ અવિરતપણે ચાલુ રાખી. લાંબા સમયના અભ્યાસ પછી આ ચિન્હોને આધારભૂતરીતે “મટેરીયા મેડિકા પ્યુરા” નામના ગ્રંથમાં પ્રકાશિત કર્યા.

આ ગ્રંથમાં પ્રકાશિત થયેલા ચિહ્નોના આધારે વિવિધ પ્રકારના અસાધ્ય રોગોની સારવાર સરળ ઔષધીય શક્તિઓથી વ્યક્તિગત રીતે શક્ય બની. માનવ જાતના ઇતિહાસમાં જુદી જુદી ઉંમર અને જાતિની તંદુરસ્ત વ્યક્તિ પર થયેલા આ પ્રયોગોએ સારવાર પદ્ધતિમાં ક્રાંતિ આણી. અત્યારસુધી પ્રચલિત સારવાર પદ્ધતિઓમાં રોગ લક્ષીય સારવાર કરવામાં આવતી. ઉદાહરણરૂપે કોઈ એક વ્યક્તિને માથાનો દુઃખાવો હોય, જઠરમાં સોજો હોય, ભુખ લગતી ન હોય, કબજીયાતની અસર હોય અને ચામડી રૂક્ષ થતી હોય તો પ્રસ્થાપિત સર્વર પદ્ધતિઓમાં જુદીજુદી આશરે પાંચ કે તેથી વધુ દવાઓનો ઉપયોગ આ પ્રકારની તકલીફો માટે કરવામાં આવે.
તે ઉપરાંત બાહ્ય લેપ અને પોષણની દવાઓ કે વિટામીન પ્રકારની દવાઓ પણ આવશ્યક બની શકે. હોમિયોપેથીક ચિકિત્સા પદ્ધીતની વિશિષ્ટતા પ્રમાણે દર્દીના ઉપરોક્ત શારીરક ચિહ્નો ઉપરાંત એની માનસિકતા પણ ખુબ અગત્યનો ભાગ ભજવે છે.  દરેક વ્યક્તિ શરીરથી, અવયવોથી એક બીજા જેવી છે પણ એનું વ્યક્તિત્વ એના વિચારો, લાગણીઓ અને એની પર આધારિત એવા એના વર્તનથી બીજી વ્યક્તિથી જુદી પડે છે. જયારે કોઈવ્યક્તિ બીમાર થાય ત્યારે માત્ર એના અવયવો બીમાર નથી થતા પણ સમગ્ર વ્યક્તિ બીમાર થાય છે. અને તેથી માત્ર અવયવોની કે તેના ચિન્હોની સારવાર ન કરતાં તેની સાથે સમગ્ર વ્યક્તિની સારવાર કરવાથીજ રોગને સંપૂર્ણપણે મટાડીને દર્દીનું  સ્વાસ્થ્ય પાછું મેળવી શકાય છે. વિલક્ષણ પ્રતિભા ધરાવતા વૈજ્ઞાનિક અભિગમ અપનાવતા અને વિચક્ષણ દ્રષ્ટિવાળા ડૉ. સેમ્યુઅલ હનેમાને માનવજાતિના ઇતિહાસમાં ન ભૂતો ન ભવિષ્યતિ એવી અસાધારણ, સચોટ, અસરકારક અને દીર્ઘ પરિણામો ધરાવતી ચિકિત્સા પદ્ધતિની સમાજના સ્વાસ્થ્ય માટે ભેટ ધરી. જેમ દરેક ક્રાંતિકારી વિચાર અને વ્યક્તિ સાથે બનતું આવ્યું છે તેમ ડૉ હનેમાન સાથે પણ બન્યું. સમાજના સ્થાપિત હિતોએ એમનો અસહકાર અને બહિષ્કાર કરવામાં કશું બાકી ન રાખ્યું. પણ માનવજાતના સ્વાસ્થ્યની જેને હર હમેશ ચિંતા હતી તેવા આ યુગ પુરુષે સામાજિક વિપરીત પરિસ્થિતિ સામે જાણે જંગ છેસી જીવન દરમ્યાન જરૂર પડયે એક શહેરથી બીજે શહેર, એક રાજ્યથી બીજે રાજ્ય એમ ક્યાંયે ઠરીઠામ થયા વિના પોતાનો યજ્ઞ હર્યા-થાક્યા વિના અવિરત ચાલુ રાખ્યો. પોતે શોધેલી ક્રાંતિકારી પદ્ધતિને સુવાંગ સિદ્ધ કરવા માટે અઠ્ઠયાસીવર્ષના સુદીર્ઘ તંદુરસ્ત જીવનના અંત સુધી તેઓ કાર્યરત રહ્યા.
માનવ જાતિના ઇતિહાસમાં ઘણીબધી ચિકિત્સા પદ્ધતિઓની શોધ થઇ. તેમાંની કેટલીક તો  હજારો વર્ષથી પ્રચલિત છે. ચિકિત્સા જગતની વિવિધ પદ્ધતિઓની સરખામણીએ માત્ર બસો જેટલાજ વર્ષ જૂની એવી ડૉ હનેમાન દ્વારા પ્રસ્થાપિત હોમિયોપેથીક ચિકિત્સા પદ્ધતિની ઘણી બધી વિશિષ્ટતાઓ અને સિદ્ધિઓ આજ સુધીમાં નોંધાઈ છે. આવા માનવજાતિના સ્વાસ્થ્ય માટેની ઉપકારક ચિકિત્સા પદ્ધતિના પ્રણેતા ડૉ હનેમાનની ૨૫૭મી જન્મજયંતીએ આવો આપણે સહુ રોગ મુક્ત, ભયમુક્ત અને સ્વાસ્થ્યપ્રદ સમાજની રચનાના અભિયાનમાં આ ઉપચાર પદ્ધતિના પ્રચાર, પ્રસાર દ્વારા આપણું યોગદાન આપીએ એ જ એમને અપાયેલી સાચી અંજલી... 

Sunday, November 20, 2011

Cystic Fibrosis of Lung : An Update

Hello,

Few post earlier I had posted a case of cystic fibrosis of Lungs. It generated lots of curiosity. Here I am presenting another case with pre and post treatment chest reports with a brief history.

The patient was of 63 year old male living at Mumbai, having his own business. Patient was a suffering with hypertension and diabetes. He was referred to homoeopathy by his daughter, who had been benefited with her own and her children’s acute illnesses.

Patient was having complaints of recurrent cough, on and off for many years, which were treated by a chest physician at Mumbai.

On inquiring about his past illness it was revealed that he had suffered from Herpetic Eruptions, which were treated with local ointments.

As the complaints persisted the chest physician investigated the case, and apart from diabetes and Hypertension, he was found to have interstitial fibrotic lung disease. He was put on steroids along with other medications.

When, he failed to improve, In spite of the steroids and other medication, he was brought to Homoeopathy.

After complete case study, his treatment was started. The response was overwhelming. The cough, which had become very obstinate, subsided within few months. Patient recovered well within a span of one year.

Below are the chest reports of the patient, demonstrating the complete recovery, even at the tissue level.

 

First report March 2009.

dilip ajmera 

Below is the report after the treatment which is dated July 2010.

dilip ajmera xray report fu 001

Reports are self evident.

Homoeopathy saved one more case of severe form and provided relief to the sick…

Thursday, November 17, 2011

Hemorrhoids: Pain in ass... Literally


Hemorrhoids: Pain in Ass…


“Is it possible to have a prompt relief with your ‘slow’ system of medicine?” An Acquaintance asked, at a social gathering.
“Why? What’s the problem?
“I don’t have any problem, but my father-in-law has. He has come to attend this function but poor fellow can’t sit anywhere… can’t even stand for long… he needs to move constantly to avoid pain, even while moving he keeps on moaning with the pain…” the complaints about the suffering father-in-law went on flowing…

I interrupted the flow of narration and asked “Please tell me, what is actually bothering him?”

“He literally has pain in ass.., has complaints of piles, bleeding piles... As the day dawns he starts fretting with the idea of attending the loo. The idea of passing stool brings the fear of pain it would cause to him, the unbearable pain, constant smarting burning pain, can’t sit or stand, has to walk hither tither… sometimes the pain is relieved by lying on sides but he has to bear the torture daily for four to five hours…”
The descriptive and exact narration of sufferings of his father-in-law was interrupted by the entry of father-in-law himself.

“Please come, I was just mentioning about your sufferings to my friend, he is a homoeopathic doctor. Thought, let me ask about your suffering, right?”
“I have tried homoeopathy too, but my sufferings do not leave me...”

The turn of my opinion was after the discussion between son-in-law and father-in-law. I listened to his plaintive complaints and called the patient to my clinic, to understand the complaints in details and for physical examination, on next day.


He was suffering from the complaints of hemorrhoids for more than ten years. His family business was of tiffin’s, and had good number of junior doctors, staying in hostels, were amongst his clientele.  He was guided to their ‘seniors’ and their treatment was continued for more than eight years.  Most of them had advice for surgery, but the preoccupation of business and fear of operation forced him to bear with the suffering.
Now the condition and pain had worsened. He used to have bleeding  in the form of jets of bright red blood on passing stools and with that burning at anus and hemorrhoids, which were lasting up to five to six hours. He was also experiencing loss of appetite.


He had tried several home remedies, Ayurvedic, Homoeopathic and more famous over the counter drugs, internal medication with external ointment application; everything provided temporary respite but none providing long term relief.
I took note of his complaints and other associated symptoms. He seemed reluctant about answering apparently unrelated questions to his suffering, like his thirst and appetite, his food preferences, his need of sleep, his responses to weather and temperature.


“I have problem at my ass, how would my thirst, appetite and mental makeup help you to get rid of my pain?” He questioned, derisively.
I tried to explain him in simple terms:


 “Every man walking on road seems to have two hands, two legs, two ears, one head, but do they have same personality? The food is necessary for each one’s survival but does everyone have same food? Each one does not feel comfortable to every environment. Every individual has one’s own preferences, likings and dislikes. All of these make him or her individual and it helps us for treating each patient individually. I explained him further with modern day mall culture. When we go to a section in a mall, say to shirts section. There would be shirts of many sizes available but only one size would be of perfectly your size. Similarly, we have more than three hundred medicines in our homoeopathic armamentarium, which can help a patient to treat the condition of Hemorrhoids, out of this only one remedy is to be selected, and to select the perfect one, we need to keep in mind the points like: the nature of your complaints, its intensity, associated complaints (if any), your physical built-up and mental makeup. This is one special and advantageous aspect of homoeopathic treatment.
He answered the questions with some discomfort, but on completing the interview he eagerly inquired: “Now that I have answered, will I be relieved?”


I started his treatment covering his obstinate complaints, his personal getup and impatience nature.
He came back within three days and asked: “My complaints are still there…, though the bleeding has stopped the smarting is still there. When will this go? Will it ever go?”


I pacified him and asked: “Was there any change in your routine food?”
The old fellow smiled and replied: “To tell you the truth, the bleeding stopped very next day of starting the medication. That was a big relief. I was advised by my previous doctors to avoid lots of food and mango was one of them. As the bleeding stopped and you did not mention about any food restriction in particular, I thought, I have not had mangoes for so many years, let me have some. So I eat two bowls of Mango juice with some Ghee (Clarified Butter) and Soonth (powder of dried Ginger). No other changes!”


His treatment was modified covering the above changes and he was asked for the follow up after a week.
After one week the patient arrived along with my friend. Both of them wore a broad smile and sense of relief on their faces. The patient complimented on arrival: “Miraculous result!!! I must say, I am relieved from my chronic complaints. But these would not relapse, right? Look, I am ready to take medicines so long as you wish me to. Now I have developed the faith in this system. Very effective medicine, but I just do not want to suffer again. Now I could understand:  till now everyone was trying to treat my piles, but none tried to treat me as a whole, which this system has done to me now.  I am thankful to you for my complete recovery and grateful for removing my misunderstanding about your system of medicine too.”


The duo of father-in-law, son-in-law, left the consulting room gratified.
Homoeopathy won the faith of two more families…

Wednesday, November 9, 2011

Lupus Ophthalmicus : A Challenge to Medicine, Effectively Treated with Homoeopathy!!!

ગુમાવેલી દ્રષ્ટિ... પાછી મળી સૃષ્ટિ...


“હેલો..., મારા દીકરાની આંખને કંઇક ગંભીર તકલીફ થઇ છે, એ તો હાલ અમદાવાદ છે પણ ત્યાંના ડોક્ટરના મત પ્રમાણે એને તીવ્ર તકલીફ છે. એના રીપોર્ટની ઝેરોક્સ અહીં મોકલી છે, તે બતાવવા હમણાંજ આવું છું, પ્લીઝ થોડી વાર રાહ જોજો...” ફોન પર કાંપતા અવાજની વિનંતી સ્થિતિની ગંભીરતા સૂચવતી હતી.
થોડા જ સમય બાદ ચિંતિત પિતા પોતાના પુત્રની તકલીફની વિગત અને તેણે મોકલાવેલા રેપોર્તની ઝેરોક્સ સાથે પ્રવેશ્યા. ફોનમાં પહેલા સંભળાયેલુ કંપન અત્યારે ચહેરા પર દેખાઈ રહ્યું હતું.
“આ તે શું થઇ ગયું?” “એને જ કેમ થયું?” “તે આવું તે થતું હશે?” પોતાના પુત્ર સાથે ફોન પર થયેલ વાતથી મુંજવણ અનુભવતા પ્રશ્નો એમણે કરવા માંડ્યા. જાણે તેઓ પોતાને જ પૂછતા હોય તેમ એક પછી એક પ્રશ્નો પુછતા કરતાં હતાં. તેમના પ્રશ્નોની હારમાળા તોડીને એમને વિગતો આપવા જણાવ્યું.
“મારો પુત્ર ચોવીસ વર્ષનો છે. ખુબ પ્રતિભાશાળી છે. મારો  છોકરો છે એટલે વખાણ નથી કરતો પણ પહેલેથીજ અભ્યાસમાં અવ્વલ છે. મેં એને ક્યારેય રખડતો, રમતો નથી જોયો. અમે લોકો મધ્યમ વર્ગના છીએ. મારું બાળપણ કારમી ગરીબીમાં વીત્યું છે એટલે મને મનથી એમકે અમારા સંતાનો ખુબ મહેનત કરીને આગળ આવે. નાનપણથી જ મારો દીકરો મારા મનની વાત જાણે સમજી ગયો હોય તેમ એણેક્યારેય બાળ સહજ તોફાનો પણ નથી કર્યા. કંઈ ન હોય તો ઘરમાં બેસી રહે અથવા ચોકમાં એકલો રમ્યા કરે. ભણવામાં પણ હોશિયાર. નિશાળેથી આવીને બીજા છોકરા દફતર ફેંકીને બહાર રમવા દોડી જાય પણ મારો દીકરો ઘરે આવીને તરત એનું લેસન કરવા બેસી જાય. ક્યારેક તો અમારે એને ટોકવો પડતો કે ભાઈ બસ, હવે વાંચવા-લખવાનું બંધ કરીને થોડુંક તો રમ, પણ એ તો જાણે સાંભળતો જ ન હોય તેમ એનું ભણવાનું ચાલુ જ રાખતો. દસમા અને બારમા ધોરણ દરમ્યાન પણ વગર ટયુશને ખુબ સારા ટકા સાથે પાસ થયો હતો. એને કોમ્પ્યુટરનું ભણવું હતું એટલે બીજા રાજ્યોમાં ભણવા જવું પડે તેમ હતું. મારો એક જ દીકરો છે એટલે મને એમ કે એને આપણા રાજ્યમાં જ ભણાવવો જેથી તકલીફે પહોંચી વળાય, અને જુઓ આ તકલીફ આવી ગઈ. આમ તો એની સેમિસ્ટર  પદ્ધતિ છે, પણ હવે છેલ્લા બે સેમિસ્ટર જ બાકી છે. હમણાંથી એને વાંચવાનું ખૂબ વધી ગયું છે, વળી કોમ્પ્યુટરનું ભણવાનું એટલે પ્રેક્ટીકલ પણ ખરા, એને આમ તો નાનપણથી આંખે નંબર છે. છેલ્લા થોડા વખતથી  એના નંબર વધતા જતા હતાં.
ગયા અઠવાડિયે એને આંખમાં અચાનક ઝાંખું દેખાવા લાગ્યું એને એમ કે આંખો થાકી ગઈ છે એટલે પાણીથી ધોઈ, પણ કોઈ ફેર ન જણાયો. પછી ઝાંખપ વધતી ગઈ અને જમણી આંખની નીચે કરોળીયાના જાળામાંથી જોતો હોય તેમ આંખની દ્રષ્ટિ આગળ જાળું બાઝી ગયું એટલે એને ત્યાંના આંખના નિષ્ણાતને બતાવ્યું. તેઓએ વિસ્તૃત તપાસ કરીને થોડા ટેસ્ટ કર્યા અને લોહીની લેબોરેટરી તપાસ કરાવી. એમણે જે બીમારીની શંકા હતી તે જ છે એવું એમણે કહ્યું. અમને તો આમાં કંઈ સમજ પડતી નથી પણ એ ડોક્ટરે ‘આ ખૂબ ગંભીર બીમારી છે અને એની દુરોગામી અસરો રહેશે એવું કહ્યું ચી. જ્યારથી મારો દીકરો એમને મળીને આવ્યો છે ત્યારથી સતત રડ્યા કરે છે, એ કોમ્પુટર એન્જીનીયર થવાનો છે. આંખો વગર એનું ભવિષ્ય કેવું અંધકારમય થઇ જશે? ખૂબ હતાશ થઇ ગયો છે. એની બીમારીની ખબર પડી એટલે અમે એને મળવા ત્યાં ગયા અને એને પાછો અહીં લઇ આવવો હતો પણ એણે જીદ કરી કે ‘મારી પરીક્ષા આવે છે, મારે ખૂબ તૈયારીઓ કરવાની છે’ એમ કહીને એ તો ન આવ્યો. એક આંખે દેખાતું બંધ થઇ ગયું છે. બીજી આંખે ઝાંખું દેખાય છે. આવામાં આંખોને આરામ આપવાને બદલે હજુ વધુ વાંચે છે. ચોખ્ખું ન વંચાય એટલે કંટાળે અને પછી રડ્યા કરે... અમારાથી પણ એની તકલીફ જોવાતી નથી. ઘરમાં બધાનું ખાવા પીવાનું હરામ થઇ ગયું છે. કોઈ શાંતિથી સૂતું પણ નથી.”
આટલું કહેતાની સાથે મહામુશ્કેલીએ રોકી રાખેલા આંસુ પિતાની આંખોમાંથી પડવા માંડ્યા. “કેટકેટલા સપના જોયા હતાં, એના સુખ ભવિષ્યના, ઉજ્જવળ ભવિષ્યની જગ્યાએ હવે તો અંધકારમય ભવિષ્ય થઇ જવાનું... આખું કુટુંબ દુઃખ સાથે આ આઘાતજનક સમાચારથી હચમચી ગયું છે. અમારા એક શુભેચ્છકે હોમિયોપેથીક સારવાર કરાવવાનું સૂચવ્યું એટલે ખૂબ આશા સાથે આવ્યો છું.”
એમના પુત્રના રિપોર્ટ્સ ચિંતાજનક હતાં. એને “લ્યૂપસ ઓફ્થેલ્મીક્સ “ નામનો રોગ થયો હતો. પ્રાથમિક નિદાન અને ત્યારબાદના લોહીના પરીક્ષણો નિદાનને દ્રઢ બનાવતા હતાં. આ એક પડકારરૂપ કેસ હતો.
દર્દીની હાલની તકલીફો, તેના લોહીના પરીક્ષણો, તેની માનસિક નિરાશાની સ્થિતિ, અને બાળપણથી ખંત રાખીને ચીવટપૂર્વક અભ્યાસ કરવાનો સ્વભાવ એમ સમગ્ર બાબતોને ધ્યાનમાં રાખીને સારવાર શરૂ કરવામાં આવી.
આશરે મહિનાની સારવાર પછી પોતે સેમેસ્ટર પરીક્ષા આપ્યા બાદ પ્રથમવાર રૂબરૂ મળવા આવ્યો.
છ ફૂટ ઉંચા, પ્રતિભાશાળી યુવાને અચાનક આવી પડેલી બીમારીને જાણે મ્હાત કરવાની તૈયારી કરી લીધી હતી. સારવારની અસર ખુબજ ઉત્સાહજનક રહી હતી.  આંખમાંથી નીકળતું પ્રવાહી હવે બંધ થઇ ગયું હતું. સાથે દ્રષ્ટિ અને વાંચનશક્તિ પણ સુધરી રહી હતી. દિવસના પંદરથી અઢાર કલાક આંખ પાસેથી એ કામ લઇ શક્યો હતો. રૂબરૂ મુલાકાતમાં એણે વધુ માહિતી આપતાં જણાવ્યું કે એને વૃષણ પાસે એક ચાંદુ પડ્યું હતું, જેની સારવાર ઘણા સમયથી ચાલુ હતી. હમણાં થોડા સમય પહેલાંજ એને એ ચાંદુ મટી ગયું હતું, તે આ સારવાર દરમ્યાન ફરીથી ઉભરાયું હતું. આ ઉપરાંત એને મોઢામાં વારંવાર ચાંદી પડતી જે ખૂબ દર્દ કરતી. જયારે પણ ચાંદી પડતી તો દસથી પંદર દિવસ એની અસર રહેતી. આ ઉપરાંત એને ભૂતકાળમાં કાકડા ફુલવાની અને એમાં પાક થવાની તકલીફ પણ વારંવાર થતી હતી.
હોમિયોપેથીક સારવાર પદ્ધતિ લક્ષણદર્શી (SYMPTOMATIC) ન હોઈ ને વ્યક્તિલક્ષી (INDIVIDUALISED) હોવાનો મોટો ફાયદો આ કેસમાં જોવા મળ્યો. પ્રાથમિક ચિહ્નો અને પરીક્ષણો પર પસંદ કરાયેલી દવા ઉપરોક્ત બધી જ તકલીફોની ફરિયાદ પણ સચોટપણે આવરી લેતી હતી. તેથી સારવારમાં કોઈ ફેરફાર કરવાની આવશ્યકતા ન હતી. પ્રથમ મહિનાની સારવારના અંતે દર્દીને લાભ થયેલો જનતા વધુ સમય માટે સારવાર ચાલુ રખાવી.
લાંબી સારવાર દરમ્યાન વચ્ચે થોડા સમયના અંતરે એની કાકડાની તકલીફો, મોઢામાં થતા ચંદા અને વૃષ્ણ પર થતી ચાંદીની તકલીફો થોડા સમય મારે દેખા દઈને પછી મટી ગઈ. આ દરમ્યાન એનો અભ્યાસ સરળતાથી સંપૂર્ણ થયો. એ ઉચ્ચતમ શ્રેણીમાં ઉત્તીર્ણ થયો. સહુના આશ્ચર્ય વચ્ચે એને દેશની ગૌરવશાળી આઈ.ટી. કંપનીમાં ઉચ્ચ હોદ્દા અને પગારવાળી નોકરી મળી.
ખૂબ જ  જટિલ એવા આ રોગની લાંબી સારવારના અંતે એના લોહીના પરીક્ષણો તદ્દન નોર્મલ આવ્યાં. એની આંખ અને દ્રષ્ટિ બંને સામાન્ય થઇ ગયા. હા, એક આડવાતનો ફાયદો પણ સાથે થયો: બાળપણથી ચશ્માંના નંબર હતાં તે નંબર પણ ઉતરી ગયા. હવે ન તો ચશ્માંની જરૂર રહી ન તો સારવારની, હોમિયોપેથિક્ સારવારથી એક પ્રતિભાશાળી જીવન ફરીથી ઉજ્જવળ બની ગયું...

Sunday, October 16, 2011

Chronic Hiccoughs : Rapid Recovery! Marvel of Homoeopathy!!!


હઠીલી હેડકી...


“અમારી પડોશમાં એક બહેન રહે છે. તેમની તકલીફ એટલી બધી છે કે મારાથી જોવાતી નથી, અમને બધાને હોમીઓપેથીક સારવારથી સારું થયું છે એટલે એમણે પુછાવ્યું કે ખૂબ જૂની હેડ્કીની ફરીયાદ હોય તો આ સારવાર પદ્ધતિથી મટી શકે?”પડોશી પ્રત્યેની સહાનુભૂતિ સાથે મદદ કરવા ઇચ્છુક બહેને પુછ્યું અને જવાબની રાહ જોયા વિના જ આગળ બોલ્યા: “મેં તો કહીજ દીધું છે કે તમને પણ સારું થઇ જ જશે. આજે તો હું તમારા માટેનો સમય નક્કી કરીનેજ આવીશ. એટલે એમના નવા કેસ માટેનો કાલનો સમય આપો.” વિનંતી અને હુકમના મિશ્રિત આદેશ દ્વારા નિશ્ચિત સમય અને સંતોષ સાથે વિદાય થયા.

બીજા દિવસે નિશ્ચિત સમયે પોતાના બીમાર પાડોશી અને એમના ઢગલાબંધ રિપોર્ટ્સ સાથે પ્રવેશ્યાં. બેઠી દડીના છેતાલીસ વર્ષની વયના પ્રમાણમાં ભરાવદાર શરીર ધરાવતા બહેન મુશ્કેલીથી ચાલતા હતાં. એમના પાડોશીએ જાણે ઘરેથીજ સુચના આપી રાખી હોય તેમ બેસતાની સાથે એમણે ખૂબ પદ્ધતિસર ફરીયાદ જણાવવી શરૂ કરી. “આજથી લગભગ પચ્ચીસ વર્ષ પહેલાં મારા લગ્ન થયાં, ત્યાં સુધી મને નખમાંય રોગ ન હતો. એ પછી મને થોડી પેટની તકલીફ થવા લાગી. થોડા દિવસ થાય અને અચાનક પેટમાં દુઃખાવો ઉપડે. દુઃખે ત્યારે એવું દુઃખે કે મારે ફરસ પર આળોટવું પડે. એની જોડે ઉલટીઓ પણ થતી. એવું થોડો સમય રહ્યું પછી એ તો જાણે ઠીક થઇ ગયું. એના પછી મારી પ્રેગ્નન્સી અને ડીલીવરી બધું નોર્મલ જ થયું. ડીલીવરી પછીના સાતેક વર્ષ સુધી મને કોઈ તાલ્કીફ નહોતી. એવામાં માસિકની ફરીયાદ શરૂ થઇ. ખૂબ માસિક આવતું. એમાં લોચા પડતા અને માથું ફાડી નાખે તેવી વાસ પણ મારતી. એની સારવાર લીધી, આવું સળંગ સાત-આઠ મહીના ચાલ્યું એટલે કંટાળીને બીજા ડોક્ટરને બતાવ્યું, એમણે ‘મારું શરીર ખસે છે એવું નિદાન કરીને કાયમ માટે સારું કરવું હોય તો કોથળી કઢાવવાનું ઓપરેશન કરાવવાની સલાહ આપી. આમેય હું બીમારીથી અને શરીરથી કંટાળી ગઈ હતી એટલે ઓપરેશન કરવી નાખ્યું. પછીના પાંચ-છ વર્ષ બધું સારું રહ્યું.”

તેઓ બોલવાનું શરૂ કરે તે પહેલાંજ એમની હેડ્કીની તીવ્રતાએ જ  જણાવી દીધું કે એની સ્થિતિ ખૂબ ખરાબ છે. લગભગ દર દસ સેકન્ડે એને હેડકી આવતી. હેડ્કી સાથે જાણે આખુંય શરીર હલી જતું હોય તેમ લાગતું. પોતે શરીરને સંતુલિત રાખવાના પ્રયત્નમાં બંને હાથથી માથું પકડીને, આંખો બંધ રાખીને, કોણીઓ ટેબલ પર ટેકવીને બેઠા.
“એવામાં મને શરદી-ખાંસીની તકલીફ થવા માંડી.. જયારે પણ શરદી-ખાંસી થાય એટલે છાતીમાં ગળફા બાઝે અને દર વખતે તાવ આવતો, એ સમયે અમે દક્ષીણ ગુજરાતમાં રહેતા. ત્યાં અમારી વાડીઓ હતી, ચીકુની. એટલે આમતો શુદ્ધ હવા, પાણી હતાં, તોયે આ શરદી ખાંસી કેમ થતી એનો ખ્યાલ ન આવ્યો. આની સારવાર દરમ્યાન જ મને એસીડીટી થવા માંડી. પેટમાં જાણે ઉકળતું પ્રવાહી રેડ્યું હોય તેમ લાહ્ય બળ્યા કરતી. ખાવા-પીવાની કોઈ તકલીફ નહી, સમય થાય એટલે ભુખ લાગે. તરસેય સામાન્ય. પણ આ લાહ્ય સતત બળ્યા કરતી. ખૂબ ઠંડું પણ ખાઈ જોયું પણ એનાથી પણ  પેટની બળતરામાં કોઈ આરામ ન થતો. એવામાં જ મને આ હેડ્કીની તકલીફ થવા માંડી. શરૂઆતમાં એ, આશરે ઓગણીસો નવ્વાણુંની સાલથી, દિવસમાં બે-ચાર વાર થતી. થોડું ખાઈ-પી લઈએ એટલે બેસી જતી પછી એની તકલીફ વધતી ગઈ. ધીમેધીમે કરતાં એ પછી આખો દિવસ રહેવા લાગી. રાતે ઊંઘમાં જ એ હેડ્કી બંધ રહેતી બાકી આંખ ખુલે એટલે શરૂ થાય તે રાત્રે સૂતાં સુધી બસ આમ હેડકી આવ્યાં જ કરે. એટલે વિવિધ પ્રકારની તપાસ અને રીપોર્ટની હારમાળા થઇ ગઈ.”

“તમેજ કહો, રાત-દિવસ, સવારસાંજ – બસ આમ હેડકી આવ્યાં જ કરે તો મારે સહન કેમનું કરવાનું અને બૈરી જાત, શું કામ કરવાનું ન હોય? સવારથી રાત સુધી હજાર કામ હોય, પણ આ હેડ્કીને લીધે એકેય કામમાં ભલીવાર ન આવે.
"ઠેક ઠેકાણે સારવાર કરાવી. કોઈએ ‘તમે ખુલ્લી હવામાં રહો છો એટલે તમને આવી તકલીફ થાય છે’ એવી સલાહ આપી તો કોઈએ ‘એલરજી છે’ એવું નિદાન કર્યું. કોઈએ એસીડીટીની સારવાર આપી તો કોઈએ પેટના અલ્સરની સારવાર આપી. આ બધા ઢગલો રિપોર્ટો કરાવ્યા છે. છાતીના ફોટા, પેટના ફોટા, આંતરડાના ફોટા. અત્યાર સુધીમાં ચાર-પાંચ વાર દુરબીન નાંખીને પેટની તપાસ પણ કરાવી છે. કંઈ સમજાતું નથી. હેડ્કીની તકલીફ માટે છાતીના નિષ્ણાંત, પેટના નિષ્ણાંત, અરે જ્ઞાનતન્તુંના નિષ્ણાંતને પણ બતાવ્યું છે. પણ આ હેડ્કી એવીને એવી છે.”

“દવાઓમાં પણ એસિડીટીથી માંડીને અલ્સરથી લઈને એલર્જી અને ખેંચની સારવારમાં ઉપયોગી થાય તેવી દવાઓ પણ અજમાવી જોઈ છે. કશાથી ફાયદો થતો નથી. વચ્ચે થોડો સમય માટે સ્ટીરોઇડનો અખતરો પણ કરી જોયો. એનાથી પણ કોઈ ફેર ન પડ્યો. એટલે આ “માનસિક” છે એમ મને સમજાવવા માંડ્યું. હવે તમેજ કહો આ આખો દિવસ હેડ્કી આવ્યાં કરે છે, આજે એ વાતને સાત વરસ થયા. આવી તકલીફ તે કઈ માનસિક તકલીફ થોડી હોય?”
“આ તો મારા પાડોશીથીય નથી જોવાતું. જયારે મળે ત્યારે કહે ‘કોઈ દવા કરવો, આમ તે કેમ ચાલશે?’ એટલે મેં એને મારી આપવીતી કહી કે, ‘બેન, કશું બાકી રાખ્યું નથી.’ હવે તો જે દવાઓ છે એમાં ખૂબ ઊંઘ આવે છે, મહામુશ્કેલીથી આંખો ખુલ્લી રાખવાનો પ્રયત્ન કરું છું. જેમ તેમ કરીને ખાવા-પીવાનું બનવું છું. બાકીતો કોઈ કામ થતું નથી, બસ આખો દિવસ હેડ્કી આવ્યાં કરે છે. એમણે ચિંતા થઇ એટલે અહીં લઇ આવ્યાં છે. જે જ્યાં સૂચવે ત્યાં હું આ રીપોર્ટનો થોકડો લઈને જાઉં છું... રખેને કોઈ દવા કામે લાગી જાય...”

દર વખતે હેડકી પછી એક નાનકડો ઓડકાર આવતો એ એમની હેડ્કીની તીવ્રતા સાથે એક નોંધપાત્ર બાબત હતી, આ સાથે ચાલુ દવાઓની અસરને કારણે તેઓને ધ્યાન કેન્દ્રિત કરવામાં અને તેથી બોલવામાં તકલીફ થતી હતી. છેલ્લા થોડા સમયથી તેઓને બંને ગોઠણમાં દુઃખાવો શરૂ થયો હતો. અડધા દાયકાથી વધારે સમયથી પીડિત મહિલાની ઉપરોક્ત તકલીફોની સારવાર શરૂ કરી.
દસ દિવસની સારવાર બાદ જયારે તેઓ બતાવવા આવ્યાં ત્યારે એક જુદી જ વ્યક્તિ હતાં.

દવા શરૂ કર્યાના તુરંત બાદ તેઓને રાહત અનુભવાઈ હતી. શરૂઆતના ચાર દિવસ બાદથી હેડ્કી સંપૂર્ણપણે બંધ થઇ ગઈ હતી. સાત વર્ષ બાદ તેઓ એ આ સ્વસ્થતાનો અનુભવ કર્યો હતો. આ દરમ્યાન તેઓને હલકો, માથાનો દુઃખાવો, અનુભવાયો હતો. છેલ્લા એકાદ દિવસથી ઓડકાર આવતા પણ એમાં કોઈ પ્રકારની વાસ કે સ્વાદ અનુભવતા ન હતાં. આ દર્દીની સારવાર અઢી મહિના સુધી કરવામાં આવી હતી.જે બાદ એમની સારવાર બંધ કરી દેવામાં આવી.

ઉપરોક્ત કિસ્સામાં જોવા મળેલ ચમત્કારિક પરિણામથી હોમિયોપથી વિશેની ગેરમાહિતીઓ વિશેની એક ‘ખૂબ ધીમી સારવાર પદ્ધતિ’ એ અહીં દૂર થાય છે.

સારવારની ત્વરિતતા, સ્વસ્થતા પાછી મેળવવાનો સમયગાળો અને સારવાર દરમ્યાન અનુભવતા ફેરફારો એ વ્યક્તિલક્ષી હોય છે. તેથી દરેક દર્દીને ખૂબ જ ઝડપથી સારું ન થાય એ પણ શક્ય છે. પણ હોમિયોપેથીક સારવાર પદ્ધતિ પોતે ધીમી છે એ એક ખોટી માન્યતા છે,એવું દરેક અસરકારક સારવાર સાબિત કરે છે.