Sunday, November 20, 2011

Cystic Fibrosis of Lung : An Update

Hello,

Few post earlier I had posted a case of cystic fibrosis of Lungs. It generated lots of curiosity. Here I am presenting another case with pre and post treatment chest reports with a brief history.

The patient was of 63 year old male living at Mumbai, having his own business. Patient was a suffering with hypertension and diabetes. He was referred to homoeopathy by his daughter, who had been benefited with her own and her children’s acute illnesses.

Patient was having complaints of recurrent cough, on and off for many years, which were treated by a chest physician at Mumbai.

On inquiring about his past illness it was revealed that he had suffered from Herpetic Eruptions, which were treated with local ointments.

As the complaints persisted the chest physician investigated the case, and apart from diabetes and Hypertension, he was found to have interstitial fibrotic lung disease. He was put on steroids along with other medications.

When, he failed to improve, In spite of the steroids and other medication, he was brought to Homoeopathy.

After complete case study, his treatment was started. The response was overwhelming. The cough, which had become very obstinate, subsided within few months. Patient recovered well within a span of one year.

Below are the chest reports of the patient, demonstrating the complete recovery, even at the tissue level.

 

First report March 2009.

dilip ajmera 

Below is the report after the treatment which is dated July 2010.

dilip ajmera xray report fu 001

Reports are self evident.

Homoeopathy saved one more case of severe form and provided relief to the sick…

Thursday, November 17, 2011

Hemorrhoids: Pain in ass... Literally


Hemorrhoids: Pain in Ass…


“Is it possible to have a prompt relief with your ‘slow’ system of medicine?” An Acquaintance asked, at a social gathering.
“Why? What’s the problem?
“I don’t have any problem, but my father-in-law has. He has come to attend this function but poor fellow can’t sit anywhere… can’t even stand for long… he needs to move constantly to avoid pain, even while moving he keeps on moaning with the pain…” the complaints about the suffering father-in-law went on flowing…

I interrupted the flow of narration and asked “Please tell me, what is actually bothering him?”

“He literally has pain in ass.., has complaints of piles, bleeding piles... As the day dawns he starts fretting with the idea of attending the loo. The idea of passing stool brings the fear of pain it would cause to him, the unbearable pain, constant smarting burning pain, can’t sit or stand, has to walk hither tither… sometimes the pain is relieved by lying on sides but he has to bear the torture daily for four to five hours…”
The descriptive and exact narration of sufferings of his father-in-law was interrupted by the entry of father-in-law himself.

“Please come, I was just mentioning about your sufferings to my friend, he is a homoeopathic doctor. Thought, let me ask about your suffering, right?”
“I have tried homoeopathy too, but my sufferings do not leave me...”

The turn of my opinion was after the discussion between son-in-law and father-in-law. I listened to his plaintive complaints and called the patient to my clinic, to understand the complaints in details and for physical examination, on next day.


He was suffering from the complaints of hemorrhoids for more than ten years. His family business was of tiffin’s, and had good number of junior doctors, staying in hostels, were amongst his clientele.  He was guided to their ‘seniors’ and their treatment was continued for more than eight years.  Most of them had advice for surgery, but the preoccupation of business and fear of operation forced him to bear with the suffering.
Now the condition and pain had worsened. He used to have bleeding  in the form of jets of bright red blood on passing stools and with that burning at anus and hemorrhoids, which were lasting up to five to six hours. He was also experiencing loss of appetite.


He had tried several home remedies, Ayurvedic, Homoeopathic and more famous over the counter drugs, internal medication with external ointment application; everything provided temporary respite but none providing long term relief.
I took note of his complaints and other associated symptoms. He seemed reluctant about answering apparently unrelated questions to his suffering, like his thirst and appetite, his food preferences, his need of sleep, his responses to weather and temperature.


“I have problem at my ass, how would my thirst, appetite and mental makeup help you to get rid of my pain?” He questioned, derisively.
I tried to explain him in simple terms:


 “Every man walking on road seems to have two hands, two legs, two ears, one head, but do they have same personality? The food is necessary for each one’s survival but does everyone have same food? Each one does not feel comfortable to every environment. Every individual has one’s own preferences, likings and dislikes. All of these make him or her individual and it helps us for treating each patient individually. I explained him further with modern day mall culture. When we go to a section in a mall, say to shirts section. There would be shirts of many sizes available but only one size would be of perfectly your size. Similarly, we have more than three hundred medicines in our homoeopathic armamentarium, which can help a patient to treat the condition of Hemorrhoids, out of this only one remedy is to be selected, and to select the perfect one, we need to keep in mind the points like: the nature of your complaints, its intensity, associated complaints (if any), your physical built-up and mental makeup. This is one special and advantageous aspect of homoeopathic treatment.
He answered the questions with some discomfort, but on completing the interview he eagerly inquired: “Now that I have answered, will I be relieved?”


I started his treatment covering his obstinate complaints, his personal getup and impatience nature.
He came back within three days and asked: “My complaints are still there…, though the bleeding has stopped the smarting is still there. When will this go? Will it ever go?”


I pacified him and asked: “Was there any change in your routine food?”
The old fellow smiled and replied: “To tell you the truth, the bleeding stopped very next day of starting the medication. That was a big relief. I was advised by my previous doctors to avoid lots of food and mango was one of them. As the bleeding stopped and you did not mention about any food restriction in particular, I thought, I have not had mangoes for so many years, let me have some. So I eat two bowls of Mango juice with some Ghee (Clarified Butter) and Soonth (powder of dried Ginger). No other changes!”


His treatment was modified covering the above changes and he was asked for the follow up after a week.
After one week the patient arrived along with my friend. Both of them wore a broad smile and sense of relief on their faces. The patient complimented on arrival: “Miraculous result!!! I must say, I am relieved from my chronic complaints. But these would not relapse, right? Look, I am ready to take medicines so long as you wish me to. Now I have developed the faith in this system. Very effective medicine, but I just do not want to suffer again. Now I could understand:  till now everyone was trying to treat my piles, but none tried to treat me as a whole, which this system has done to me now.  I am thankful to you for my complete recovery and grateful for removing my misunderstanding about your system of medicine too.”


The duo of father-in-law, son-in-law, left the consulting room gratified.
Homoeopathy won the faith of two more families…

Wednesday, November 9, 2011

Lupus Ophthalmicus : A Challenge to Medicine, Effectively Treated with Homoeopathy!!!

ગુમાવેલી દ્રષ્ટિ... પાછી મળી સૃષ્ટિ...


“હેલો..., મારા દીકરાની આંખને કંઇક ગંભીર તકલીફ થઇ છે, એ તો હાલ અમદાવાદ છે પણ ત્યાંના ડોક્ટરના મત પ્રમાણે એને તીવ્ર તકલીફ છે. એના રીપોર્ટની ઝેરોક્સ અહીં મોકલી છે, તે બતાવવા હમણાંજ આવું છું, પ્લીઝ થોડી વાર રાહ જોજો...” ફોન પર કાંપતા અવાજની વિનંતી સ્થિતિની ગંભીરતા સૂચવતી હતી.
થોડા જ સમય બાદ ચિંતિત પિતા પોતાના પુત્રની તકલીફની વિગત અને તેણે મોકલાવેલા રેપોર્તની ઝેરોક્સ સાથે પ્રવેશ્યા. ફોનમાં પહેલા સંભળાયેલુ કંપન અત્યારે ચહેરા પર દેખાઈ રહ્યું હતું.
“આ તે શું થઇ ગયું?” “એને જ કેમ થયું?” “તે આવું તે થતું હશે?” પોતાના પુત્ર સાથે ફોન પર થયેલ વાતથી મુંજવણ અનુભવતા પ્રશ્નો એમણે કરવા માંડ્યા. જાણે તેઓ પોતાને જ પૂછતા હોય તેમ એક પછી એક પ્રશ્નો પુછતા કરતાં હતાં. તેમના પ્રશ્નોની હારમાળા તોડીને એમને વિગતો આપવા જણાવ્યું.
“મારો પુત્ર ચોવીસ વર્ષનો છે. ખુબ પ્રતિભાશાળી છે. મારો  છોકરો છે એટલે વખાણ નથી કરતો પણ પહેલેથીજ અભ્યાસમાં અવ્વલ છે. મેં એને ક્યારેય રખડતો, રમતો નથી જોયો. અમે લોકો મધ્યમ વર્ગના છીએ. મારું બાળપણ કારમી ગરીબીમાં વીત્યું છે એટલે મને મનથી એમકે અમારા સંતાનો ખુબ મહેનત કરીને આગળ આવે. નાનપણથી જ મારો દીકરો મારા મનની વાત જાણે સમજી ગયો હોય તેમ એણેક્યારેય બાળ સહજ તોફાનો પણ નથી કર્યા. કંઈ ન હોય તો ઘરમાં બેસી રહે અથવા ચોકમાં એકલો રમ્યા કરે. ભણવામાં પણ હોશિયાર. નિશાળેથી આવીને બીજા છોકરા દફતર ફેંકીને બહાર રમવા દોડી જાય પણ મારો દીકરો ઘરે આવીને તરત એનું લેસન કરવા બેસી જાય. ક્યારેક તો અમારે એને ટોકવો પડતો કે ભાઈ બસ, હવે વાંચવા-લખવાનું બંધ કરીને થોડુંક તો રમ, પણ એ તો જાણે સાંભળતો જ ન હોય તેમ એનું ભણવાનું ચાલુ જ રાખતો. દસમા અને બારમા ધોરણ દરમ્યાન પણ વગર ટયુશને ખુબ સારા ટકા સાથે પાસ થયો હતો. એને કોમ્પ્યુટરનું ભણવું હતું એટલે બીજા રાજ્યોમાં ભણવા જવું પડે તેમ હતું. મારો એક જ દીકરો છે એટલે મને એમ કે એને આપણા રાજ્યમાં જ ભણાવવો જેથી તકલીફે પહોંચી વળાય, અને જુઓ આ તકલીફ આવી ગઈ. આમ તો એની સેમિસ્ટર  પદ્ધતિ છે, પણ હવે છેલ્લા બે સેમિસ્ટર જ બાકી છે. હમણાંથી એને વાંચવાનું ખૂબ વધી ગયું છે, વળી કોમ્પ્યુટરનું ભણવાનું એટલે પ્રેક્ટીકલ પણ ખરા, એને આમ તો નાનપણથી આંખે નંબર છે. છેલ્લા થોડા વખતથી  એના નંબર વધતા જતા હતાં.
ગયા અઠવાડિયે એને આંખમાં અચાનક ઝાંખું દેખાવા લાગ્યું એને એમ કે આંખો થાકી ગઈ છે એટલે પાણીથી ધોઈ, પણ કોઈ ફેર ન જણાયો. પછી ઝાંખપ વધતી ગઈ અને જમણી આંખની નીચે કરોળીયાના જાળામાંથી જોતો હોય તેમ આંખની દ્રષ્ટિ આગળ જાળું બાઝી ગયું એટલે એને ત્યાંના આંખના નિષ્ણાતને બતાવ્યું. તેઓએ વિસ્તૃત તપાસ કરીને થોડા ટેસ્ટ કર્યા અને લોહીની લેબોરેટરી તપાસ કરાવી. એમણે જે બીમારીની શંકા હતી તે જ છે એવું એમણે કહ્યું. અમને તો આમાં કંઈ સમજ પડતી નથી પણ એ ડોક્ટરે ‘આ ખૂબ ગંભીર બીમારી છે અને એની દુરોગામી અસરો રહેશે એવું કહ્યું ચી. જ્યારથી મારો દીકરો એમને મળીને આવ્યો છે ત્યારથી સતત રડ્યા કરે છે, એ કોમ્પુટર એન્જીનીયર થવાનો છે. આંખો વગર એનું ભવિષ્ય કેવું અંધકારમય થઇ જશે? ખૂબ હતાશ થઇ ગયો છે. એની બીમારીની ખબર પડી એટલે અમે એને મળવા ત્યાં ગયા અને એને પાછો અહીં લઇ આવવો હતો પણ એણે જીદ કરી કે ‘મારી પરીક્ષા આવે છે, મારે ખૂબ તૈયારીઓ કરવાની છે’ એમ કહીને એ તો ન આવ્યો. એક આંખે દેખાતું બંધ થઇ ગયું છે. બીજી આંખે ઝાંખું દેખાય છે. આવામાં આંખોને આરામ આપવાને બદલે હજુ વધુ વાંચે છે. ચોખ્ખું ન વંચાય એટલે કંટાળે અને પછી રડ્યા કરે... અમારાથી પણ એની તકલીફ જોવાતી નથી. ઘરમાં બધાનું ખાવા પીવાનું હરામ થઇ ગયું છે. કોઈ શાંતિથી સૂતું પણ નથી.”
આટલું કહેતાની સાથે મહામુશ્કેલીએ રોકી રાખેલા આંસુ પિતાની આંખોમાંથી પડવા માંડ્યા. “કેટકેટલા સપના જોયા હતાં, એના સુખ ભવિષ્યના, ઉજ્જવળ ભવિષ્યની જગ્યાએ હવે તો અંધકારમય ભવિષ્ય થઇ જવાનું... આખું કુટુંબ દુઃખ સાથે આ આઘાતજનક સમાચારથી હચમચી ગયું છે. અમારા એક શુભેચ્છકે હોમિયોપેથીક સારવાર કરાવવાનું સૂચવ્યું એટલે ખૂબ આશા સાથે આવ્યો છું.”
એમના પુત્રના રિપોર્ટ્સ ચિંતાજનક હતાં. એને “લ્યૂપસ ઓફ્થેલ્મીક્સ “ નામનો રોગ થયો હતો. પ્રાથમિક નિદાન અને ત્યારબાદના લોહીના પરીક્ષણો નિદાનને દ્રઢ બનાવતા હતાં. આ એક પડકારરૂપ કેસ હતો.
દર્દીની હાલની તકલીફો, તેના લોહીના પરીક્ષણો, તેની માનસિક નિરાશાની સ્થિતિ, અને બાળપણથી ખંત રાખીને ચીવટપૂર્વક અભ્યાસ કરવાનો સ્વભાવ એમ સમગ્ર બાબતોને ધ્યાનમાં રાખીને સારવાર શરૂ કરવામાં આવી.
આશરે મહિનાની સારવાર પછી પોતે સેમેસ્ટર પરીક્ષા આપ્યા બાદ પ્રથમવાર રૂબરૂ મળવા આવ્યો.
છ ફૂટ ઉંચા, પ્રતિભાશાળી યુવાને અચાનક આવી પડેલી બીમારીને જાણે મ્હાત કરવાની તૈયારી કરી લીધી હતી. સારવારની અસર ખુબજ ઉત્સાહજનક રહી હતી.  આંખમાંથી નીકળતું પ્રવાહી હવે બંધ થઇ ગયું હતું. સાથે દ્રષ્ટિ અને વાંચનશક્તિ પણ સુધરી રહી હતી. દિવસના પંદરથી અઢાર કલાક આંખ પાસેથી એ કામ લઇ શક્યો હતો. રૂબરૂ મુલાકાતમાં એણે વધુ માહિતી આપતાં જણાવ્યું કે એને વૃષણ પાસે એક ચાંદુ પડ્યું હતું, જેની સારવાર ઘણા સમયથી ચાલુ હતી. હમણાં થોડા સમય પહેલાંજ એને એ ચાંદુ મટી ગયું હતું, તે આ સારવાર દરમ્યાન ફરીથી ઉભરાયું હતું. આ ઉપરાંત એને મોઢામાં વારંવાર ચાંદી પડતી જે ખૂબ દર્દ કરતી. જયારે પણ ચાંદી પડતી તો દસથી પંદર દિવસ એની અસર રહેતી. આ ઉપરાંત એને ભૂતકાળમાં કાકડા ફુલવાની અને એમાં પાક થવાની તકલીફ પણ વારંવાર થતી હતી.
હોમિયોપેથીક સારવાર પદ્ધતિ લક્ષણદર્શી (SYMPTOMATIC) ન હોઈ ને વ્યક્તિલક્ષી (INDIVIDUALISED) હોવાનો મોટો ફાયદો આ કેસમાં જોવા મળ્યો. પ્રાથમિક ચિહ્નો અને પરીક્ષણો પર પસંદ કરાયેલી દવા ઉપરોક્ત બધી જ તકલીફોની ફરિયાદ પણ સચોટપણે આવરી લેતી હતી. તેથી સારવારમાં કોઈ ફેરફાર કરવાની આવશ્યકતા ન હતી. પ્રથમ મહિનાની સારવારના અંતે દર્દીને લાભ થયેલો જનતા વધુ સમય માટે સારવાર ચાલુ રખાવી.
લાંબી સારવાર દરમ્યાન વચ્ચે થોડા સમયના અંતરે એની કાકડાની તકલીફો, મોઢામાં થતા ચંદા અને વૃષ્ણ પર થતી ચાંદીની તકલીફો થોડા સમય મારે દેખા દઈને પછી મટી ગઈ. આ દરમ્યાન એનો અભ્યાસ સરળતાથી સંપૂર્ણ થયો. એ ઉચ્ચતમ શ્રેણીમાં ઉત્તીર્ણ થયો. સહુના આશ્ચર્ય વચ્ચે એને દેશની ગૌરવશાળી આઈ.ટી. કંપનીમાં ઉચ્ચ હોદ્દા અને પગારવાળી નોકરી મળી.
ખૂબ જ  જટિલ એવા આ રોગની લાંબી સારવારના અંતે એના લોહીના પરીક્ષણો તદ્દન નોર્મલ આવ્યાં. એની આંખ અને દ્રષ્ટિ બંને સામાન્ય થઇ ગયા. હા, એક આડવાતનો ફાયદો પણ સાથે થયો: બાળપણથી ચશ્માંના નંબર હતાં તે નંબર પણ ઉતરી ગયા. હવે ન તો ચશ્માંની જરૂર રહી ન તો સારવારની, હોમિયોપેથિક્ સારવારથી એક પ્રતિભાશાળી જીવન ફરીથી ઉજ્જવળ બની ગયું...

Sunday, October 16, 2011

Chronic Hiccoughs : Rapid Recovery! Marvel of Homoeopathy!!!


હઠીલી હેડકી...


“અમારી પડોશમાં એક બહેન રહે છે. તેમની તકલીફ એટલી બધી છે કે મારાથી જોવાતી નથી, અમને બધાને હોમીઓપેથીક સારવારથી સારું થયું છે એટલે એમણે પુછાવ્યું કે ખૂબ જૂની હેડ્કીની ફરીયાદ હોય તો આ સારવાર પદ્ધતિથી મટી શકે?”પડોશી પ્રત્યેની સહાનુભૂતિ સાથે મદદ કરવા ઇચ્છુક બહેને પુછ્યું અને જવાબની રાહ જોયા વિના જ આગળ બોલ્યા: “મેં તો કહીજ દીધું છે કે તમને પણ સારું થઇ જ જશે. આજે તો હું તમારા માટેનો સમય નક્કી કરીનેજ આવીશ. એટલે એમના નવા કેસ માટેનો કાલનો સમય આપો.” વિનંતી અને હુકમના મિશ્રિત આદેશ દ્વારા નિશ્ચિત સમય અને સંતોષ સાથે વિદાય થયા.

બીજા દિવસે નિશ્ચિત સમયે પોતાના બીમાર પાડોશી અને એમના ઢગલાબંધ રિપોર્ટ્સ સાથે પ્રવેશ્યાં. બેઠી દડીના છેતાલીસ વર્ષની વયના પ્રમાણમાં ભરાવદાર શરીર ધરાવતા બહેન મુશ્કેલીથી ચાલતા હતાં. એમના પાડોશીએ જાણે ઘરેથીજ સુચના આપી રાખી હોય તેમ બેસતાની સાથે એમણે ખૂબ પદ્ધતિસર ફરીયાદ જણાવવી શરૂ કરી. “આજથી લગભગ પચ્ચીસ વર્ષ પહેલાં મારા લગ્ન થયાં, ત્યાં સુધી મને નખમાંય રોગ ન હતો. એ પછી મને થોડી પેટની તકલીફ થવા લાગી. થોડા દિવસ થાય અને અચાનક પેટમાં દુઃખાવો ઉપડે. દુઃખે ત્યારે એવું દુઃખે કે મારે ફરસ પર આળોટવું પડે. એની જોડે ઉલટીઓ પણ થતી. એવું થોડો સમય રહ્યું પછી એ તો જાણે ઠીક થઇ ગયું. એના પછી મારી પ્રેગ્નન્સી અને ડીલીવરી બધું નોર્મલ જ થયું. ડીલીવરી પછીના સાતેક વર્ષ સુધી મને કોઈ તાલ્કીફ નહોતી. એવામાં માસિકની ફરીયાદ શરૂ થઇ. ખૂબ માસિક આવતું. એમાં લોચા પડતા અને માથું ફાડી નાખે તેવી વાસ પણ મારતી. એની સારવાર લીધી, આવું સળંગ સાત-આઠ મહીના ચાલ્યું એટલે કંટાળીને બીજા ડોક્ટરને બતાવ્યું, એમણે ‘મારું શરીર ખસે છે એવું નિદાન કરીને કાયમ માટે સારું કરવું હોય તો કોથળી કઢાવવાનું ઓપરેશન કરાવવાની સલાહ આપી. આમેય હું બીમારીથી અને શરીરથી કંટાળી ગઈ હતી એટલે ઓપરેશન કરવી નાખ્યું. પછીના પાંચ-છ વર્ષ બધું સારું રહ્યું.”

તેઓ બોલવાનું શરૂ કરે તે પહેલાંજ એમની હેડ્કીની તીવ્રતાએ જ  જણાવી દીધું કે એની સ્થિતિ ખૂબ ખરાબ છે. લગભગ દર દસ સેકન્ડે એને હેડકી આવતી. હેડ્કી સાથે જાણે આખુંય શરીર હલી જતું હોય તેમ લાગતું. પોતે શરીરને સંતુલિત રાખવાના પ્રયત્નમાં બંને હાથથી માથું પકડીને, આંખો બંધ રાખીને, કોણીઓ ટેબલ પર ટેકવીને બેઠા.
“એવામાં મને શરદી-ખાંસીની તકલીફ થવા માંડી.. જયારે પણ શરદી-ખાંસી થાય એટલે છાતીમાં ગળફા બાઝે અને દર વખતે તાવ આવતો, એ સમયે અમે દક્ષીણ ગુજરાતમાં રહેતા. ત્યાં અમારી વાડીઓ હતી, ચીકુની. એટલે આમતો શુદ્ધ હવા, પાણી હતાં, તોયે આ શરદી ખાંસી કેમ થતી એનો ખ્યાલ ન આવ્યો. આની સારવાર દરમ્યાન જ મને એસીડીટી થવા માંડી. પેટમાં જાણે ઉકળતું પ્રવાહી રેડ્યું હોય તેમ લાહ્ય બળ્યા કરતી. ખાવા-પીવાની કોઈ તકલીફ નહી, સમય થાય એટલે ભુખ લાગે. તરસેય સામાન્ય. પણ આ લાહ્ય સતત બળ્યા કરતી. ખૂબ ઠંડું પણ ખાઈ જોયું પણ એનાથી પણ  પેટની બળતરામાં કોઈ આરામ ન થતો. એવામાં જ મને આ હેડ્કીની તકલીફ થવા માંડી. શરૂઆતમાં એ, આશરે ઓગણીસો નવ્વાણુંની સાલથી, દિવસમાં બે-ચાર વાર થતી. થોડું ખાઈ-પી લઈએ એટલે બેસી જતી પછી એની તકલીફ વધતી ગઈ. ધીમેધીમે કરતાં એ પછી આખો દિવસ રહેવા લાગી. રાતે ઊંઘમાં જ એ હેડ્કી બંધ રહેતી બાકી આંખ ખુલે એટલે શરૂ થાય તે રાત્રે સૂતાં સુધી બસ આમ હેડકી આવ્યાં જ કરે. એટલે વિવિધ પ્રકારની તપાસ અને રીપોર્ટની હારમાળા થઇ ગઈ.”

“તમેજ કહો, રાત-દિવસ, સવારસાંજ – બસ આમ હેડકી આવ્યાં જ કરે તો મારે સહન કેમનું કરવાનું અને બૈરી જાત, શું કામ કરવાનું ન હોય? સવારથી રાત સુધી હજાર કામ હોય, પણ આ હેડ્કીને લીધે એકેય કામમાં ભલીવાર ન આવે.
"ઠેક ઠેકાણે સારવાર કરાવી. કોઈએ ‘તમે ખુલ્લી હવામાં રહો છો એટલે તમને આવી તકલીફ થાય છે’ એવી સલાહ આપી તો કોઈએ ‘એલરજી છે’ એવું નિદાન કર્યું. કોઈએ એસીડીટીની સારવાર આપી તો કોઈએ પેટના અલ્સરની સારવાર આપી. આ બધા ઢગલો રિપોર્ટો કરાવ્યા છે. છાતીના ફોટા, પેટના ફોટા, આંતરડાના ફોટા. અત્યાર સુધીમાં ચાર-પાંચ વાર દુરબીન નાંખીને પેટની તપાસ પણ કરાવી છે. કંઈ સમજાતું નથી. હેડ્કીની તકલીફ માટે છાતીના નિષ્ણાંત, પેટના નિષ્ણાંત, અરે જ્ઞાનતન્તુંના નિષ્ણાંતને પણ બતાવ્યું છે. પણ આ હેડ્કી એવીને એવી છે.”

“દવાઓમાં પણ એસિડીટીથી માંડીને અલ્સરથી લઈને એલર્જી અને ખેંચની સારવારમાં ઉપયોગી થાય તેવી દવાઓ પણ અજમાવી જોઈ છે. કશાથી ફાયદો થતો નથી. વચ્ચે થોડો સમય માટે સ્ટીરોઇડનો અખતરો પણ કરી જોયો. એનાથી પણ કોઈ ફેર ન પડ્યો. એટલે આ “માનસિક” છે એમ મને સમજાવવા માંડ્યું. હવે તમેજ કહો આ આખો દિવસ હેડ્કી આવ્યાં કરે છે, આજે એ વાતને સાત વરસ થયા. આવી તકલીફ તે કઈ માનસિક તકલીફ થોડી હોય?”
“આ તો મારા પાડોશીથીય નથી જોવાતું. જયારે મળે ત્યારે કહે ‘કોઈ દવા કરવો, આમ તે કેમ ચાલશે?’ એટલે મેં એને મારી આપવીતી કહી કે, ‘બેન, કશું બાકી રાખ્યું નથી.’ હવે તો જે દવાઓ છે એમાં ખૂબ ઊંઘ આવે છે, મહામુશ્કેલીથી આંખો ખુલ્લી રાખવાનો પ્રયત્ન કરું છું. જેમ તેમ કરીને ખાવા-પીવાનું બનવું છું. બાકીતો કોઈ કામ થતું નથી, બસ આખો દિવસ હેડ્કી આવ્યાં કરે છે. એમણે ચિંતા થઇ એટલે અહીં લઇ આવ્યાં છે. જે જ્યાં સૂચવે ત્યાં હું આ રીપોર્ટનો થોકડો લઈને જાઉં છું... રખેને કોઈ દવા કામે લાગી જાય...”

દર વખતે હેડકી પછી એક નાનકડો ઓડકાર આવતો એ એમની હેડ્કીની તીવ્રતા સાથે એક નોંધપાત્ર બાબત હતી, આ સાથે ચાલુ દવાઓની અસરને કારણે તેઓને ધ્યાન કેન્દ્રિત કરવામાં અને તેથી બોલવામાં તકલીફ થતી હતી. છેલ્લા થોડા સમયથી તેઓને બંને ગોઠણમાં દુઃખાવો શરૂ થયો હતો. અડધા દાયકાથી વધારે સમયથી પીડિત મહિલાની ઉપરોક્ત તકલીફોની સારવાર શરૂ કરી.
દસ દિવસની સારવાર બાદ જયારે તેઓ બતાવવા આવ્યાં ત્યારે એક જુદી જ વ્યક્તિ હતાં.

દવા શરૂ કર્યાના તુરંત બાદ તેઓને રાહત અનુભવાઈ હતી. શરૂઆતના ચાર દિવસ બાદથી હેડ્કી સંપૂર્ણપણે બંધ થઇ ગઈ હતી. સાત વર્ષ બાદ તેઓ એ આ સ્વસ્થતાનો અનુભવ કર્યો હતો. આ દરમ્યાન તેઓને હલકો, માથાનો દુઃખાવો, અનુભવાયો હતો. છેલ્લા એકાદ દિવસથી ઓડકાર આવતા પણ એમાં કોઈ પ્રકારની વાસ કે સ્વાદ અનુભવતા ન હતાં. આ દર્દીની સારવાર અઢી મહિના સુધી કરવામાં આવી હતી.જે બાદ એમની સારવાર બંધ કરી દેવામાં આવી.

ઉપરોક્ત કિસ્સામાં જોવા મળેલ ચમત્કારિક પરિણામથી હોમિયોપથી વિશેની ગેરમાહિતીઓ વિશેની એક ‘ખૂબ ધીમી સારવાર પદ્ધતિ’ એ અહીં દૂર થાય છે.

સારવારની ત્વરિતતા, સ્વસ્થતા પાછી મેળવવાનો સમયગાળો અને સારવાર દરમ્યાન અનુભવતા ફેરફારો એ વ્યક્તિલક્ષી હોય છે. તેથી દરેક દર્દીને ખૂબ જ ઝડપથી સારું ન થાય એ પણ શક્ય છે. પણ હોમિયોપેથીક સારવાર પદ્ધતિ પોતે ધીમી છે એ એક ખોટી માન્યતા છે,એવું દરેક અસરકારક સારવાર સાબિત કરે છે.

Tuesday, October 4, 2011

Cystic Fibrosis of Lung / Cystic Bronchietesis of Lung : Treated successfully with Homoeopathy


જીવવાની નહીં મરવાની દવા જોઈએ છે, આપશો???





“મારા ભાઈએ આપની પાસે સારવાર માટે મોકલી છે. પણ સારવાર તો ઠીક, આપની પાસે કોઈ મરવાની દવા હોય તો એ મને આપો, હવે નથી સહેવાતું, એટલે જીવન કરતાં મોત ઈચ્છું છું.”

પંચાવન વર્ષની વયના સન્નારીએ પોતાના આવવાના આશય સાથે જીવનની અંતિમ ઈચ્છા હોય તેવી રીતે પોતાની વ્યથા રજુ કરી, સાથે આવેલા એમના પતિ પણ જાણે એની ઈચ્છામાં સંમતિ ધરાવતા હોય તેમ એમણે પણ ચહેરા પર દયાના ભાવ સાથે પોતાની મંજૂરી દર્શાવી.

“ખૂબ રીબાઈ છું. જીવનની અડધી ઉંમર રીબાઈને જીવી છું. છેલ્લા પચ્ચીસ વર્ષ કરતાંયે વધુ સમયથી આ તકલીફ છે. આશરે એંશીની સાલમાં મને તકલીફ થવી શરૂ થઇ. ત્યારે શરદી થતી અને એની સાથે વારંવાર ખાંસીની તકલીફ થતી. શરૂઆતમાં મને એમ કે હશે, વાતાવરણને લીધે કે ખાવાપીવાને લીધે આમ થતું હશે, એટલે ઘરના ઓસડિયા અને સાદા ઘરગથ્થું ટુચકાઓ અજમાવ્યા. પણ કોઈ ફાયદો ન થતો. ત્યારે અમારી આર્થિક અને સામાજિક સ્થિતિ એવી ન હતી કે બીજી સારવાર પોષાય. બાળકો નાના હતાં, ઘરના વડીલો બીમાર રહેતા, એમના એકલાની કમાણી પર ઘર ચલાવવાનું, ખૂબ તકલીફો હતી. આવું ચાર-પાંચ વર્ષ ચાલ્યું. પછી એક મોટા દાક્તરને બતાવ્યું. એમણે તે જમાનાની બધીજ આધુનિક તપાસ કરાવડાવી. એમાંથી એમણે મારું જમણું ફેફસું ખરાબ થઇ ગયું છે એવું નિદાન કર્યું. એવા નિદાન સાથે એમણે અમદાવાદની મોટી હોસ્પિટલમાં બતાવવાની સલાહ આપી. ત્યાંના મોટા સાહેબે પણ ખૂબ સહાનુભૂતિપૂર્વક મારો કેસ તપાસ્યો અને અંતે લાગણીભરી સલાહ આપી કે ‘જો બહેન, તારે શાંતિથી જીવવું હોય તો તારું જમણું ફેફસું કાઢવી નાખ, તો જ તારી તબિયતમાં સુધારો થશે.’ મારે ઘેર નાના છોકરા અને ઉંમરલાયક વડીલો, બે ફેફસા સાથે કામ ન થતું એમાં આવું મોટું ઓપરેશન કેમ સહન થાય? એટલે મેં એમની સલાહ ન માની. હું બીમાર થઇ ત્યારથી આજ સુધી રાત-દિવસ બસ ખાંસ્યા કરું છું. મને હરુંફરું ત્યાં સુધી ખાસ તકલીફ થતી નથી પણ જેવી સુવા માટે આડી પડું એટલે ખાંસી વધી જાય એની સાથે ખૂબ શરદી થાય. નાક સાફ કરી કરીને હવે નાકમાં ચાંદા પડી ગયા છે. ગળામાં ચાંદા થઇ જાય છે. ખાંસી આવે એટલે ગળામાં પણ ખૂબ બળતરા થાય. સાથે હવે છાતીના પડખા પણ ખાંસી ખાઈ ખાઈ ને દુખી ગયા છે. ખાંસી એવી તો જોરદાર થાય કે મારા ખાંસવાના અવાજને લીધે ઘરમાં કોઈ શાંતિથી સુઈ શકતા નથી. ઘણીવાર બાકીના લોકો શાંતિથી સુઈ શકે તે માટે હું મોઢે કપડાનો ડૂચો દબાવી દઉં છું પણ એ પણ કેટલો સમય દબાવાય?

છેલ્લા ઘણા વર્ષોથી હવે ગંધાતા ગળફા આવે છે. કોઈ જનાવર મરી ગયું હોય અને પડ્યું પડ્યું સડી જાય, એની જેવી વાસ હોય તેવી, ખૂબ દુર્ગંધ ગળફામાંથી આવે છે. હવે તો મારા શ્વાશમાંથી પણ આવી અસહ્ય વાસ આવે છે. મારાથી જ એ સહન નથી થતી તો બીજાનું તો શું પુંછવું? એ તો મારા પતિ જ મહાન છે જે મારા જેવીને સહન કર્યા કરે છે. ખાંસતાં ખાંસતાં બેવડ વળી જવાય છે. પણ એ બિચારા ઉઠીને મારા વાંસે હાથ ફેરવ્યા કરે છે. મારી તો બીમારીને લીધે જિંદગી બગડી ગઈ પણ એમની તો મારા જેવીને નિભાવવામાં અને સારવાર કરાવવામાં વેડફાઈ ગઈ.

ઘણા વખતથી જુદી જુદી સારવાર કરાવી છે એના રિપોર્ટોનો આ ઢગલો છે. હવે તો એય સાચવીને થાકી ગઈ છું.

મારા બાળકો સહેજ ઉંમરલાયક થયા એટલે એમને સંસારના થાળે પાડી દીઘા છે. હવે તો એમનોય સંસાર ઠરીઠામ થઇ ગયો છે. ઘરના વડીલોય હવે તો પરધામ વહ્યા ગયા છે. એટલે મારી બધી જ જવાબદારીઓ પૂરી થઇ ગઈ છે. હવે આમેય જીવવાની જરૂર નથી, અને હવે વેઠાતું નથી. ખૂબ થાકી ગઈ છું.”

એમના છાતીના ફોટાના રિપોર્ટ* ૧૯૮૩થી કઢાવેલા હતાં. જેમાં જમણા ફેફસામાં “સિસ્ટીક ફાઈબ્રોસીસ” પ્રકારના ફેરફાર દેખાતા હતાં. આ પ્રકારની બીમારીમાં ફેફસાના મૂળ બંધારણમાં ફેરફાર થવાને કારણે શ્વસનતંત્રની ગંભીર તકલીફો થાય છે.

ત્યારબાદની સતત સારવાર છતાં ૧૯૮૭, ૧૯૯૩, ૧૯૯૭ અને છેક ૨૦૦૩ ની સાલ સુધીના છાતીના ફોટામાં એ જ પરિસ્થિતિ દેખાતી હતી. ખૂબ લાંબા  ગાળાની તકલીફોને કારણે હવે ગળફામાં પણ ગંભીર ફેરફારો થયા હતાં જેને કારણે તીવ્ર દુર્ગંધવાળા ગળફા પડતા હતાં. તેમને પાંત્રીસ વર્ષની ઉંમરે માસિક સ્ત્રાવ બંધ થઇ ગયો હતો. છેલ્લા થોડા વર્ષોથી હવે બીમારી સાથે બ્લડપ્રેશર પણ રહેવા લાગ્યું હતું.

હોમિયોપેથીક સારવાર પદ્ધતિ જેના માટે ખૂબ નામના મેળવી ચુકી છે એવો જ આ એક લાંબા ગાળાની બીમારીનો કેસ હતો. નિશ્ચિત ચિહ્નો અને હતાશાની માનસિક અવસ્થાને કેન્દ્રિત સારવાર શરૂ કરાઈ.

પ્રથમ મહિનાની સારવાર બાદ જયારે તેઓ બતાવવા આવ્યાં ત્યારે નવા જ જોમ સાથે પ્રવેશ્યાં. ટેબલ પર હાથ ટપારતાં જ બોલી ઊઠ્યા: “ હવે મારે જીવવું છે. હા, તમે માનશો?, છેલ્લા વીસ વર્ષથી હું આરામખુરશીમાં જ સુતી હતી. મારા પોતાના પલંગમાં હવે વીસ વર્ષ બાદ સુઈ શકું છું!” વધુ બે મહિનાની સારવાર બાદ તેઓ કોઇપણ જાતની ખાંસી અને ગળફાની તકલીફમાંથી મુક્ત થઇ ગયા હતાં. વધુ ત્રણ મહિનાની સારવારના અંતે કરાવેલા એક્સ-રેમાં પણ ફેફસાંનું બંધારણ સામાન્ય થઇ રહ્યું હોવાનું સ્પષ્ટ દર્શાવી રહ્યું હતું. આવા ઉત્સાહજનક રીપોર્ટ સાથે એમણે એક સુખદઆશ્ચર્ય  પ્રશ્ન કર્યો: “મારા આખા જીવનમાં મેં ક્યારેય પ્રવાસ નથી કર્યો, જીવનમાં ઘર અને દવાખાનાઓ સિવાય કંઈ જોયું નથી. હવે મને ખૂબ સારું છે, એટલે મનમાં ઈચ્છા થાય છે કે મારે ચારધામ જવું છે અને જો જવાય તો અમરનાથની જાત્રા કરવી છે. હવે મને વિશ્વાસ છે, મને કંઈ નહીં થાય.”

સાડા ચાર માસના ગાળા બાદ તેઓ ખૂબ પ્રફુલ્લિત ચહેરે અને વદને મળવા આવ્યાં.

જે વ્યક્તિ પોતાના પલંગ પર સુઈ શકતી ન હતી, પોતાની દૈહિક ક્રિયાઓ અને દૈનિક ઘરકામ સરળતાથી નિભાવી શકતી ન હતી, તે સામાન્યરીતે તંદુરસ્ત વ્યક્તિઓ માટે પણ દુર્ગમ અને મુશ્કેલ એવી યાત્રા પગપાળે કરીને આવી હતી. પોતે મેળવેલા નવા સ્વાસ્થ્યનો આનંદ અને ઉત્સાહ સમતો ન હતો એના મનમાં.

આ વખતની મુલાકાતમાં તેઓ ભગવાનનો પ્રસાદ વહેંચવા આવ્યાં હતાં.

એક વર્ષથી પણ ઓછા ગાળાની અસરકારક સારવારના અંતે જીવન અને બીમારીથી હતાશ અંદ હારી ગયેલી વ્યક્તિમાંથી પ્રભુના ઉત્કૃષ્ઠ પ્રસાદ એવા જીવનને તેઓ હવે નવા જોમ જુસ્સાથી માણી રહ્યા હતાં.

હોમીઓપેથીક સારવાર પદ્ધતિની સફળતાના અનેક પરિણામોમાંનું એક પરિણામ જેમાં ખૂબ ગંભીર અને હઠીલા રોગ ઉપર વિજય મેળવીને જીવનની મોજ પાછી મેળવી શકાઈ હતી.



* ક્રમ પ્રમાણેના એક્સરે રિપોર્ટસ 

 The first report of March 1987, S/o involvement of nearly whole Rt. Lung


 The Second report after 4 years shows no changes inspite of aggressive treatment


The third report nearly afer 10 years : Same state, no change The patient continues to suffers, no respite in spite of all treatment.

And then Homoeopathic Treatment : RECOVERY FOR ANY ONE TO SEE AND VERIFY.

As the patient recovered completely, but refused to undergo any tests furthur. So am not able to post the status (X-ray) of complete recovery.

Sunday, October 2, 2011

Spinal Canal Stenosis with Lumbar Disk Listhesis : Treated with Homeopathy


કરોડરજ્જુની સમસ્યા : કમ્મરતોડ દુઃખાવો



 “મારાભાણિયાનીવહુને બતાવવા લાવવાની છે, અમદાવાદથી, હસતી, રમતી, હરતી, ફરતી,છોકરી પથારીવશ થઇ ગઈ છે. પચ્ચીસ વર્ષની ઉંમરે પથારીવશ...હજી બે વર્ષ ઉપર જ પરણી છે. કાળને માટે ગાડી બૂક કરવી છે તો કાલે સવારે અમે એને લઈને આવીશું, તમે સમયસર પહોંચી જજો.”

પોતાની જાતેજ અપોઈન્ટમેન્ટનો સમય નિશ્ચિત કરીને મને હાજર રેહવાની સુચના આપીને વ્યવસાયે શિક્ષક એવા મામા-સસરા દર્દીની ગંભીરતા પણ સુચવી ગયા. બીજા દિવસે ઠરાવેલા સમય કરતાં પહેલા આવીને ડોકટર સમયસર પહોંચી ગયા છે એ ચકાસી લીધું.

થોડીવાર બાદ પથારીવશ યુવતીને ચાદરની ઝોળીમાં સુવડાવીને દવાખાનામાં લઈ આવ્યાં. ઝોળીમાંથી તપાસવાના ટેબલ પર સુવડાવતા દરમ્યાન દરેક હલનચલન વખતે એ કણસતી હતી. મુસાફરીનો થાક એના ચહેરા અને શરીર ઉપર વર્તાતો હતો, બાજુમાં એનો પતિ ચિંતિતભાવ સાથે એના સાંધાઓને સહેલાવતો ઉભો હતો એણે ‘હિસ્ટ્રી’ કહેવા માંડી.

“ લગભગ દોઢ મહિના પહેલાં એને કોઈ તકલીફ ન હતી. એ ખબૂ હોશિયાર કોમ્પ્યુટર એન્જીનીયર છે, મારી પત્ની છે માટે નથી કહેતો પણ છેલ્લા બે વર્ષમાં એને ચાર પ્રમોશન મળ્યા છે એટલે તમે સમજી શકો છો એ કેટલી મહેનત કરતી હશે. સવારે વહેલા ઉઠીને ચા-નાસ્તો પતાવી, અમારા બન્નેનું ટીફીન તૈયાર કરીને બધું કામ પતાવીને અડધો કલાક સ્કુટર ચલાવીને નવ વાગ્યે ઓફીસ પહોંચી જાય. સાંજે ઓફિસેથી છુટીને, ઘરની  સામાન્ય ખરીદી અને શાકભાજી લઈને સાત વાગે ઘરે પહોંચી જાય, પછી સાંજનું જમવાનું બનાવીને નવ સાડા નવ સુધીમાં પરવારી જાય પણ થાકનું નામ નહીં. ક્યારેક પારિવારિક પ્રસંગે કોઈના ત્યાં જવા-આવવાનું હોય તોયે એ તૈયાર... ક્યારેક રાત્રે દસ વાગ્યા બાદ અમથુંજ બહાર જવાનું પણ ગમતું. રજાના દિવસે ફટાફટ બધું પતાવીને નજીકના કોઈ સ્થળે ફરવા કે મિત્રોની સાથે પીકનીક માનવવા પણ તૈયાર રહેતી.

શરૂઆતમાં એને પીઠ અને કમ્મરમાં દુઃખાવો થવા લાગ્યો, નજીકમાં ડોક્ટરને બતાવ્યું ત્યારે એમણે દુઃખાવો દબાવવાની દવાથી સારવાર આપી. થોસો સમય એનાથી સારું રહ્યું, પછી ફરીથી દુઃખાવો થવા લાગ્યો એટલે બીજા ડોક્ટરને બતાવ્યું એમણે ‘આખો દિવસ બેસી રહેવાને કારણે પીઠમાં દુઃખાવો થાય છે’ એમ નિદાન કરીને સારવાર સાથે પીઠ અને કમ્મરને સપોર્ટ થાય એવો પટ્ટો પહેરવાની સલાહ આપી. સવારે પથારીમાંથી ઉભી થાય એટલે પટ્ટો પહેરી લે અને રાત્રે આદિ પડે ત્યારે જ પટ્ટો કાઢતી પણ તેના દુઃખાવામાં કોઈ ફેર ન પડ્યો એટલે એને દાખલ કરીને પગ પર વજન લટકાવીને ‘ટ્રેક્શન’ અપાવ્યું અને પીઠમાં ઇન્જેક્શન પણ મુકાવ્યા. અઠવાડિયા સુધી આ પરમને કરવા છતાં કોઈ ફેર ન લાગ્યો, પરિસ્થિતિ બગડતી જતી હતી... હવે એનાથી પથારીમાં પાંખું ફેરવવું પણ અશક્ય બનવા માંડ્યું હતું એટલે અત્યાધુનિક તપાસ કરાવી. વિવિધ તપાસના અંતે એને કરોડરજ્જુમાં વચ્ચેથી દબાણ ‘સેન્ટ્રલ ઇન્ડેન્ટએશન’ થાય છે એવું નિદાન આવ્યું અને વધુ તપાસ બાદ અસરકારક સારવાર થશે એવું જણાવ્યું.

હવે સ્થિતિ એવી થઈ હતી કે સામાન્ય કામ માટે કે કુદરતી હાજત માટે હરવુંફરવું મુશ્કેલ થઈ ગયું હતું. મહામુશ્કેલીએ એને પથ અને કમ્મર પર પટ્ટો બાંધીને ઉભી કરીએ તો બે જણની મદદથી એ થોડી ખસી શકે પણ સામાન્ય રીતે જેમ આપને પગના પંજા પર ચાલીએ તેમ એ ન ચાલી શકે. એણે એના પુંજા બહાર તરફ ઉંચા કરીને પગની પાની ઉપર ચાલવું પડે. બીજી તકલીફમાં એને થોડા વખતથી ઉલટીઓ થવા માંડી છે. વચ્ચેવચ્ચે તાવ પણ આવી જાય છે. એ બીમાર થઈ ત્યારથી કે કદાચ એની પહેલાથી એની ઊંઘ બરાબર નથી. આખો દિવસ આટલી બધી દોડાદોડી અને માનસિક શ્રમ કકરવા છતાં ઘણીવાર એ રાતે જાગતી જ હોય. મેં એને કેટલીયે વાર પૂછ્યું છે કે ‘તને કોઈ તકલીફ છે’? પણ એ ‘ના’ જ પાડે છે. અમારા પ્રેમ લગ્ન છે, પણ બંને પરિવારોની સંમતિથી કરેલા છે. અને અમારા વચ્ચે કે અમારા પરિવારો વચ્ચે કોઈ ગેરસમજ કે અણબનાવ નથી છતાં એને ‘કોઈ શું કહેશે ‘ એની ચિંતા રહેતી હોય તેમ મને લાગે છે.”

“તારે જે કેહેવું હોય તે કહેને...” પોતાની પત્નીના માથે પ્રેમથી હાથ ફેરવતા પતિએ હિંમત બંધાવી. અત્યાર સુધી પીડાથી કણસી રહેલી યુવતીના ચહેરા અને શરીર પર બીમારીના દુ:ખાવા ઉપરાંત પ્રવાસનો થાક ચઢી ગયો હતો, જાણે મહામુશ્કેલીએ બોલતી હોય તેમ તેણે પ્રયાસ કર્યો : “મને માનસિક કે સામાજિક કોઈ તકલીફ નથી. અમારા બંનેની કેરિયર સારી રીતે સેટ થઈ રહી છે અને એમાં આ બીમારી...ખબર નથી કેમની મને થઈ ગઈ છે. મને અઢારકલાક કામ કરતાં પણ ક્યારેય થાક ન લાગતો, ઉપરથી મને મારી ઓફીસનું અને ઘરનું કામ આનંદ આપતાં. બસ એકજ તકલીફ હતી, વચ્ચેવચ્ચે મારી ઊંઘ ઉડી જતી...” આમ કહેતા એ જાણે કોઈ ઊંડા વિચારમાં ખોવાઈ ગઈ. જાતને સંભાળતા થોસીવારના યત્ન પછી એ બોલી: “મને ઘણીવાર ખરાબ સ્વપ્નો આવે છે. મને લાગે કે જાણે કોઈ મને સળગાવી શું છે. હું મદદ માટે બુમો મારું છું પણ કોઈ મને સાંભળતું નથી. ક્યારેક મને ખૂબ ઊંચાઈ પરથી ખાઈમાં પડવાના સ્વપન આવેછે. દર વખતે આવા સ્વપ્નથી હું ઝબકીને જાગી જાઉં છું. આખા શરીરે પરસેવો થઈ જાય પછી થોડા સમય સુધી આખું શરીર જાણે અંદરથી ધ્રૂજતું હોય તેમ લાગે, જગ્યા પછી ડર ન લાગતો પણ પેતમી જાણે ફાળ પડી હોય તેવું લાગ્યા કરતું. આ સિવાય મને બીજી કોઈ તકલીફ નથી. હું સાજી તો થઇ જઈશને?” એ પ્રશ્ન સાથે એને ઊંડો શ્વાસ લીધો જાણે પોતાની જાતને હકારાત્મક વિચારોથી ભરતી હોય.

ખૂબ જ ઝડપથી પ્રસરેલા આ પીઠ અને કમ્મરના દુખાવા સાથે, ચાલવા માટે પડતી તકલીફ અને પગના પંજા પર ચાલવાને બદલે પાણી પર ચાલવાની પડતી ફરજ અને એના લાક્ષણિક સ્વપ્નોના આધારે સારવાર શરૂ કરાઈ.

દસ દિવસની સારવાર બાદ હવે એને પગમાં થતો દુઃખાવો ગાયબ હતો એ હવે પથારીમાં એકથી દોઢ કલાક કોઇપણ પ્રકારના ટેકા વગર બેસી શકતી હતી, અને કમ્મરમાં બેલ્ટ બાંધીને થોડું પણ – સામાન્ય- એટલેકે પગના પંજા પર ચાલતી થઈ હતી. હજી એને ઊંઘની તકલીફ હતી પણ તેને આવતા ભયાનક દુસ્વપનો ગાયબ હતાં. વધુ પંદર દિવસની સારવાર બાદ એ સામાન્યપણે ચાલતી થઈ હતી. હવે ઓફિસે માટે ઇચ્છુક હતી એટેલે બે મહિના બાદ બતાવવા જણાવ્યું.

બે મહિના પુરા થવાના અઠવાડિયા પહેલાં એનો ફોન આવ્યો: “મારે આપને બતાવવા રૂબરૂ આવવું જરૂરી છે? આમતો મને બધું ઠીક છે અને કોઈ તકલીફ નથી. વળી હમણાં મને જીવનની એક આદર્શ તક મળી છે. બેંગ્લોરની જગપ્રસિદ્ધ સોફ્ટવેર કંપનીએ મને ખૂબ આકર્ષક પગાર અને ઉચ્ચ હોદ્દાવાળી જોબ ઓફર કરી છે. મારે અઠવાડિયામાં જોઇન કરવાની છે એટલે જો મારી જરૂર ન હોય તો કોઈ આવીને  દવા લઈ જશે.”

સ્વસ્થતાનો રણકો એના દરેક શબ્દમાંથી ગુંજતો હતો. ગંભીર બીમારીમાંથી પછી મળી રહેલી સ્વસ્થતા એની સાથે ઉટાહ અને આત્મવિશ્વાસ પણ લાવી હતી.

થોડા અઠવાડિયાઓ પહેલાં જે વ્યક્તિ પથારીમાં પડખું ફેરવી ન શકતી એ હવે નવા ઉત્સાહ સાથે જીવનનું સુકાન ફેરવી રહી હતી.

આ દર્દીની સારવાર આજથી પંદર વર્ષ પહેલાં કરવામાં આવી હતી. ત્યારથી આજ સુધીમાં એનો વારેતહેવારે ફોનથી સંપર્ક થાય ત્યારે હમેશા એ એક જ વાક્ય દોહરાવે છે “ હોમિયોપેથીક સારવાર એ મારે માટે આશીર્વાદ છે. એક પથ્રીવશ બીમાર છોકરીને અઢાર કલાક કામ કરી શકતી એક્ઝીક્યુટીવ બનાવવામાં એનો ખૂબ જ મોટો ફાળો છે. અને મારી સ્વસ્થતા માત્ર ને માત્ર હોમિયોપેથીક સારવારને કારણે જ છે. થેન્ક્સ હોમિયોપેથી...

(વર્તમાનપત્ર માટે મોકલેલ લેખ)

Thursday, September 29, 2011

Coronary Artery Disease : Effectively Treated with Homoeopathy


હ્રદય ની ગંભીર બીમારીની હોમેઓપથિક સારવાર





“આ મારા મમ્મી જેવા છે. જેમની એક ગંભીર પ્રકારની બીમારી માટે હોમેઓપથીક સારવાર કરાવવા તૈયાર થયા છે.” દર્દીની ઓળખાણ સાથેની પ્રસ્તાવના અપાતા અમારા પરિચિત દર્દીએ કરેલા વિધાનની ગંભીરતા એમના કેસની શરૂઆતમાં જ મને સમજાઈ ગઈ.

“મને હૃદયની બીમારી છે, અને બાયપાસની સલાહ આપી છે, પણ મને  ડાયાબીટીસ પણ છે અન-કન્ટ્રોલડ!,  એટલે હમણાં તાત્કાલિક ઓપરેશન થાય તેમ નથી એટલે વચ્ચેના સમયમાં ચાન્સ લેવા હોમેઓપથી અજમાવી જોવી છે. થોડી રાહત મળે તોયે ઘણું...”

મને છેલ્લા બે-ત્રણ વર્ષથી ડાયાબીટીસ છે. મને ત્યારે નબળાઈ અને સાથે અમુંજણ રહેતી, ખુબજ પરસેવો થતો ને ક્યારેક થોડા ચક્કર જેવું લાગતું હતું એટલે દાક્તરને બતાવ્યું, એમણેવિવિધ પ્રકારના ટેસ્ટ કરાવ્યા, ત્યારે એમાં બાકી બધું તો નોર્મલ આવ્યું, પણ ડાયાબીટીસ સાડી ચારસો આવ્યો. એમણે મને થોડા દિવસ દાખલ કરીને એ નોર્મલ કરી આપ્યો, હવે અત્યારે એ જમ્યા પછી બ્સ્સોની આજુબાજુ આવે છે. ડાયાબીટીસ ત્યાના છ એક મહિના બાદ મને છાતીમાં ભાર લાગવા માંડ્યો, હું થોડું લાંબુ ચાલુ અથવા દાદર ચઢવાનું થાય ત્યારે મને આ ભાર વધારે લાગતો, છેલ્લા બે-ત્રણ વર્ષથી મને પીઠમાં દુખાવાની તકલીફ પણ રહે છે. આ સાથે મને કબજીયાતની જૂની તકલીફ છે પણ એ તો હું અઠવાડિયે એકાદવાર દિવેલ લઇ લઉં એટલે પેટ સાફ થઈ જાય, છેલ્લા આઠ મહિનાથી મને ડાબા ખાભામાં દુખાવો રહે છે. એની સારવારથી મને સારું છે. હમણાં થોડા દિવસથી મને ખાંસીની તકલીફ સતાવે છે, થોડો શ્રમ પડે એટલે ખાંસી શરૂ થઈ જાય છે.

મારો દીકરો અને વહુ લંદન રહે છે. એ મને કાયમ કહ્યા કરે છે અહીં આવી જાવ તમારી સારવાર અહીં કરાવીશું, અહીં પોલ્યુશન પણ ઓછું છે એટલે ઝડપથી સજા થઈ જશો, પણ મારું મન માનતું નથી, અહીં અમારો બંગલો છે મોટી જગ્યા છે એ છોડીને જાઉં તો બધું વેરાન થઈ જાય... હું અને મારા પતિ, બંને જણ નવરા જ છીએ એટલે અત્યારે તો કાળજીથી બધું સાચવીયે છીએ...આગળનું ભગવાન જાણે...”

આટલું બોલ્યા બાદ થોડા સમય માટે એ ચુપ થઈ ગયા. આંખોમાં આંસુ તગતગી આવ્યાં. તેમના સ્વાસ્થ્ય અંગેના કેટલાક પ્રશ્નો પૂછ્યા પણ કોઈ જવાબ ન આપતા એ જાણે વિચારોમાં ખોવાઈ ગયા, એમની સાથે આવેલા બહેને વધુ માહિતી આપતાં જણાવ્યું “એમનો એકનોએક દીકરો છેલ્લા પાંચેક વર્ષથી લંદન ગયો છે, ત્યાં ખુબ સારી રીતે સેટ થઈ ગયો છે. મમ્મીને પણ ત્યાં ખુબ ગમે છે, પણ પપ્પાને નથી જવું. એમને ત્યાં ખુબ એકલવાયું લાગે છે. અહીં તો સોસાયટીના જુવાનીયાઓને બીજા બાળકોને ભેગા કરીને આખો દિવસ ટોળટપ્પા હાંક્યા કરે, નાના બાળકો સાથે સવારથી ક્રિકેટ રમે બપોરે વડીલોને ભેગા કરીને કેરમ રમે અને સાંજથી મોડી રાત સુધી જુવાનીયાઓ સાથે પત્તાંરમ્યા કરે... આખો દિવસ લોકોથી ઘર ભરેલું જ રહે છે...”

“એમને ક્યાં હાથ લંબાવાના છે?” વચ્ચેથી આગળ લંબાવતા દર્દીએ વાત શરૂ કરી, “બસ જીભ જ હલાવવાની ને, ‘ફલાણાભાઈ આવ્યાં છે...ચા લાવો, ઢીકણો આવ્યો છે... કોફી લાવ, કંઇક ઠંડું બનાવો..., બધા પીશું, બસ ઓર્ડરો ચાલુજ હોય, ને એમને બીજા લોકોનું કરેલું કામ ગમતું નથી એટલે બધુંજ ઘરકામ હું જાતેજ કરું છું, એ ઉપરાંત એમના આવા હુકમો... હું એય ચલાવી લઉં છું, પણ ઘડીની નવરાશ મળે અને બીજા કોઈ ઘરમાં હાજર ન હોય તો એ તો સુઈ જાય... મને બાઈ માણસને દિવસે સુવાનું થોડું ફાવે? મને રાત પસે થોડી નવરસ મળે  ત્યારે એ એમની મંડળીમાં હોય, હું રોજ રાહ જોઉં કે ક્યારેક તો તેઓ મારી સાથે એકાંતમાં વાત કરશે... એમણે ક્યારેય મને પૂછ્યું નથી કે તું કેમ છે? ઘરનું બધું કામ જાતે કરું છું તો હું પહોંચીવળું  છું કે નહીં? કંઈ પડી નથી... બસ મારે તો આમ ઢસરડાં કરીને જ જીવવાનું છે, દિવસ રાત મને મારી એકલતા કોરી ખાય છે...દિવસ તો કામમાં પસાર થઇ જાય છે પણ રાત થાય સને મને ધ્રાસકો પડે કેમ કરીને રાહ જશે? ખુબ જ વિચારો આવે, કેમેય કરીને ઠીક ન લાગે એટલે રાતે ઉભી થઈને કામે લાગું, કોઈ કામ ન મળે તો ચાદર-ગલેફ ધોવા બેસી જાઉં..., સાફ વાસણો ફરીથી માંજવા માંડું, જેમ તેમ કરીને રાત કાઢું...ખુબજ થાકી જાઉં ત્યારે માંડ બે-એક કલાક ઊંઘ આવે, આમ છેલ્લા ચાર વર્ષ તો કાઢ્યાં, હવે કેટલાં કાઢવાનાં...”

શારીરિક અને માનસિક પીડાથી થાકી ગયેલા આ બહેનની બીજી તકલીફો અને ખોરાકની પસંદગી વિશેની નોંધ કર્યા બાદ તેમની કબજીયાત, સાંધાના દુખાવા, હ્રદયની તકલીફ અને માનસિક વેદનાને ધ્યાનમાં રાખીને હોમેઓપેથીક દવાની પસંદગી કરવામાં આવી.

લગભગ એક મહિનાની સારવાર બાદ એમની ઊંઘ નિયમિત થઈ, ત્યારબાદ એમને આંતરડાની અને વધુ પડતા ઝાડાનીતકલીફ શરૂ થઇ, જેની સારવાર દરમ્યાન એમને માથાના દુઃખાવાની ફરિયાદ અનુભવાઈ. આ ચિન્હોનો એમણે પોતાની પહેલી અને ત્યારબાદની પાંચેક મુલાકાતમાં ઉલ્લેખ પણ નહોતો કર્યો. એટલે આ ચિહ્નો વિષે પૂછતાં એમણે કહ્યું કે મને આવી તકલીફો મારી પચ્ચીસ થી પાંત્રીસ વર્ષની ઉંમર દરમ્યાન હતી અને ત્યારે સારવાર બાદ ઠીક હતું, પછી આટલા વર્ષોમાં મને આવી તકલીફ ક્યારેય થઈ નથી.

આમ એમના જુના ચિહ્નો પણ એમની નિયત સારવારથી મટવા લાગ્યા. લગભગ છ મહિનાની સારવાર બાદ એમણે પોતાના પુત્રને ત્યાં લંડન જવાનું થયું એટલે એમની દવાઓ સાથે લઈ ગયા. ત્યાં રોજ સવાર સાંજ આ સફેદ ગોળીઓ ખાતાં જોઈ એમાં દીકરાએ પૂછ્યું  “તમે આ શેને માટે ખાધા કરો છો?” એમનો પુત્ર માતાની હૃદય અને સાંધાની બીમારીથી તદ્દન અજાણ હતો. આવી ગંભીર બીમારીમાં હોમેઓપથીની શું અસર થવાની છે? આ સારવાર કરવામાં કોઈ મોટું કોમ્પ્લીકેશન થઈ ન જાય એવી લાગણી સાથે એણે પહેલાં પોતાના ફેમીલી ડોક્ટર અને પછી સ્પેશિયાલિસ્ટનો સંપર્ક કર્યો.

બધાંના આશ્ચર્ય વચ્ચે તેમના હ્રદયના તમામ રીપોર્ટ નોર્મલ આવ્યાં. જુના રીપોર્ટની સરખામણીએ હાલ તેમનું હૃદય સંપૂર્ણ સામાન્ય કાર્ય કરતું થઈ ગયું હતું. તેથી તેમને કોઈ સારવાર ન આપતાં જે સારવાર ચેતા હોય તે ચાલુ રાખવા જણાવ્યું.

એક વર્ષની સારવાર બાદ હ્રદયની ફરિયાદની સાથે તેમના સાંધાના દુઃખાવાની અને અન્ય તકલીફો સામાન્ય થઈ ગઈ.

સ્વસ્થ મન હંમેશાં સ્વસ્થ તન પણ રાખે છે. વ્યક્તિની પ્રકૃતિ, વરસો અને જીવન પદ્ધતિ ઉપરાંત એમની લાગણીઓ અને આવેશનો પણ રોગની અવસ્થામાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને હોમેઓપેથીથી સારવાર થાય છે.

* as submited to Newspaper for the publication.

Wednesday, September 28, 2011

A kind of Acute Renal Failure : Restoring the health in Totality with Homoeopathy


A Kind of Acute Renal Failure




The after dinner discussion was on, after a hectic work in the clinic. Few friends and lovely music… just as the conversation was at its peak the cell phone vibrated. “ I am sorry to bother you at this hour but the situation is such, I need to talk to you. Can I?” without waiting for the response the caller, a patient who had been benefited for some acute complaint, continued “my brother had fever for last three-four days. He was taking some treatment but as the fever did not responded he was hospitalized. The whole series of blood tests were carried out. Last report which has just come, the treating doctor says his kidneys have failed.  He is urgently required to be on dialysis. We, all the family members, are stunned… He is not even of forty years, very young and now has failed kidneys… we were discussing the different options and your name came, so I called you at this hour, what is your opinion? Can Homoeopathy be of any help?

It is always difficult to opine without examining the patient. After confirming two three particular points, I could judge that there was no life threating situation, we had some time.  I called the relatives to the clinic early morning with all the reports. The reports were bothersome. The patient had a crisis. The kidneys have malfunctioning and the Serum Creatinine was 4.4 mg/dl, and  Serum Ig A was 443 mg/dl. The sonographical examination was suggesting altered size of both the kidneys. The situation was precarious.  After explaining the prognosis, the patient was called in and examined.


 




There entered a medium built, dark complexioned weak and exhausted middle aged man. He narrated the history: “I had dark urination for last 10-12 days. Besides this I had no other complaints. Yes, I am a high BP patient and on treatment, and its ok, I cannot go for regular checkups, as I am too busy.”

On further probe he said: “ I had some running nose and cold complaints  20 or 25 days back. I took something and it went away. Then it recurred. But this is happening since my early childhood, especially if I take some cold food or drink. I do not have sound sleep, I feel  I am awake whole night. I am aware about every movement in the room and out of the house. My mind starts wandering the moment I hit my bed, especially about future.

He had increased thirst and excessive perspiration especially while eating. He narrated his nature as : “I need everything in order. If I ask for a paper in the office and I am not given it immediately, I lose my temper. I feel like throwing the file on the face of the person. At home too, when I enter I need everything in order, if the drawing room is in bad shape, I would start shouting. Everything should be at proper place, or I will get angry.

After considering all the aspects of the case the patient was given suitable homoeopathic medicine, with an advice to repeat the test after three days.



Patient entered with his relative and report on the fourth day.  The recovery was visible on the face and outlook of the patient. The creatinine level had reduced from 4.4 mg/dl to 2.7 mg/dl. The crisis was averted. He observed that on the very next day he developed nasal discharges. This was a very good sign, as this was suppressed with other medications, and not treated properly. Normally the patients and doctor are happy once the presenting or chief complaints are disappeared from the treatment.

Here I would like to mention about a myth regarding homoeopathy: in the beginning of the treatment the complaints increases and then it reduces.

As you can observe from the case, his creatinine did not increase but his coryza increased, confirming that his coryza was suppressed and not cured hence his untreated / maltreated symptoms increased and save the vital organ (in this case kidneys) and patient was restored to health.

He was asked to check the creatinine level after fifteen days. The report confirmed that the person was now normal.



This case demonstrates the efficacy of homoeopathic treatment in kind of acute crisis.

The advantage : the person not only recovered from his kidney complaints, but his nature changed for the better. Now he does not have anger bouts at trifles. Instead of being rude and angry, now he is jovial and cooperative family man, who could take things lightly. He started enjoying life…

Here I am presenting one more unique case of “A kind of Migraine with facial Neuralgia”.

The patient was aged 49 years, male, qualified civil engineer, doing the business of industrial construction. He was referred to me by one of the old patient, who had been benefited by marvels of homoeopathy.

The case history was like this:

He had on and off pain in the left eye. This lasted for few months. Later he used to experience intense pain in left eye which used to extend till left temporal region developing into severe headache, accompanied by profuse discharges from the eye. Later this pain used to extend and cover left side of the face making it difficult to chew and at times even talk, as motion of the lower jaw used to cause severe pain. These pains used to increase by noise, touch and even mild draft of air. He tried treatment from family physician, but in vain.

As his pains increased he was not able to attend to his business as usual. Some acquaintance suggested that he should consult a dentist. Following the advice he consulted one orthodontist. He opined that two of the left lower molars need to be removed in order to remove the pain effectively.  Obeying the expert opinion, his two molars were removed.  The pain still persisted, now more intense.

One of the relative, a doctor, at Mumbai, suggested that along with the pain killers he should be given steroids to have relief in pains. This was added and he used take up to 60 mg of steroids per day. While under the effect of strong pain killers along with steroids he experienced significant relief in his agony. After 3 months of duration he was advised to “tapper off” the steroids and to his disappointment, his pains reappeared.

One of the relative, another doctor, from Paris, opined that this could be “allergic” complaints and patient should discontinue the use of chocolate, milk and egg in any form. This advice for followed to the letter, no change experienced.

As in most of the cases happens, the patient was suggested to take homoeopathic treatment. He consulted one the practitioner. The treatment of three months from a homoeopath also did not help.

Someone suggested about Ayurvedic treatment, which too was tried, with the same result: No change or relief in pain.

By this stage, almost five years went by. The pain which started with mild intensity had become now worst, and in the process the patient had lost two of his molar, left the food like chocolate, milk and eggs and their products, and mainly lost the hope of ever becoming well again.

The case was referred to me by a patient (whose 22 year old son had suffered with headache for 4 years, in spite of all types of treatment, cured with homoeopathic treatment at this clinic), who had promised of cure at this clinic.

In the beginning of the case taking the patient made it very clear: “I do not have faith in homoeopathy, I have already tried it, it failed to even reduce my pains, by my wife’s friend has forced me to meet you. So I am here, I do not expect much from you. If only, you can reduce my pain to a bearable level, I would be more than happy.”

By now the intensity of the pain had become worst. He used to be abusive with the pains, at times anger leading to even rage. He had developed lots of anxiety about his business as it suffered due to his prolonged and repeated absences. His sleep was disturbed from noise and the hope of ever getting recovered weaning.

The treatment of the first week showed marked improvement. On the first follow up after a week brought him smiling. The hope of being relieved was also brought back, as he said, “Pardon me, for my remark. I now feel Homoeopathy will not only relieve but cure me from this agonizing pain.”

The treatment was continued for three months. After that he is a new person, with lots of enthusiasm about business and life.

The successful treatment has won one more ardent supporter in him, as now he is referring all sorts of difficult case, like cases of epilepsy, migraine, spine –disc lesion for treatment to Homoeopathy.